ગુજરાતમાં કોરોનાના ટેસ્ટને મામલે અહેમદ પટેલની ટ્વીટર પોસ્ટ બાદ CM રૂપાણીએ પણ પોસ્ટ કરીને વળતો જવાબ આપ્યો હતો. ગુજરાતમાં કોરોનાના આંકડા મુદ્દે સોશિયલ મીડિયામાં ઘમાસાણ જામ્યુ છે.
અહેમદ પટેલના ટ્વીટનો CM રૂપાણીએ આપ્યો જવાબ
ગુજરાતમાં ઓછા ટેસ્ટ મુદ્દે અહેમદ પટેલે કર્યુ હતું ટ્વીટ
ગુજરાતે ટેસ્ટ કરવાનું નથી ઘટાડ્યું- રૂપાણી
અહેમદ પટેલના ટ્વીટનો CM રૂપાણીએ જવાબ આપ્યો છે. ગુજરાતમાં ઓછા ટેસ્ટ મુદ્દે અહેમદ પટેલે ટ્વીટ કર્યુ હતુ. ત્યારે તેના મુદ્દે ગુજરાતે ટેસ્ટ કરવાનું નથી ઘટાડ્યું કહીને ફોટા સાથે પોસ્ટ કરી કહ્યુ હતુ કે, તમારી દર્શાવેલ વિગત હકીકત કરતા ઘણી દૂર છે. સૌપ્રથમ તમારી પાસે જે માહિતી તે ચકાસી લો.
Mr. AHMED PATEL, Gujarat has not at all decreased number of tests. Kindly recheck your information sources which are far away from facts and ground realities. https://t.co/fZZAFNDt8Dpic.twitter.com/A6HA3DeFLe
કોંગ્રેસના સાંસદ અને નેતા અહેમદ પટેલે ગુજરાત સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે સરકારે કોરોનાના ટેસ્ટ ઓછા કરી દીધા છે. અહેમદ પટેલે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે શા માટે ટેસ્ટ ઓછા કરવામાં આવ્યાં છે.
દેશમાં કોરોના વાયરસને લઇને જ્યારે ટેસ્ટીંગ રેટ વધારવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની જનતાના શા માટે ટેસ્ટ ઓછા કરવામાં આવી રહ્યાં છે. અહેમદ પટેલે રાજ્ય સરકાર પર કોરોનાને લઇને આકરા પ્રહાર કર્યાં છે.
Why is Gujarat government reducing testing? This is very disturbing & is contrary to national policy of increasing tests .
In a pandemic it is important to be honest about the problem rather than trying to conceal it pic.twitter.com/UFAgqz9Jpi