ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઇકાલે વડોદરા ખાતે પણ તબલીગી જમાત મળી હોવાનો પોલીસની તપાસમાં ખુલાસો થયા બાદ આજે ક્રાઇમ બ્રાંચ-SOGની ટીમ દ્વારા જમાતીઓની વિગતો શોધી કાઢવામાં આવી છે.
વડોદરામાં જમાતીઓના આવવાનો મામલો
ક્રાઇમ બ્રાંચ-SOGએ વડોદરા આવેલી-ગયેલી જમાતની વિગતો શોધી
શહેરમાંથી 7 તબલીગી જમાત અન્ય જીલ્લામાં ગઇ હતી
ઉલ્લેખનીય છે કે ગઇકલા કોરોનાના લઇને વડોદરા શહેરમાંથી મોટા સમાચાર આવ્યાં હતા. જેમાં શહેરમાં દિલ્હીની જેમ જમાત મળી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં પોલીસ દ્વારા શહેરમાં પણ તબલિગી મરકઝ મળ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
આમ હવે વડોદરામાં જમાતીઓના આવવાના મામલે ક્રાઇમ બ્રાંચ-SOGએ વડોદરા આવેલી અને ગયેલી જમાતની વિગતો શોધી કાઢી છે. એક અહેવાલ મુજબ શહેરમાંથી 7 તબલીગી જમાત અન્ય જિલ્લામાં ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેરમાં 2 જમાત આવી હતી. જેમાં ભાવનગરનો જમાતી નાગરવાડાથી કોરોના ચેપ લઇ ગયો હતો. ભાવનગરથી આવેલા જમાતે વડોદરાની 6 મસ્જિદોની મુલાકાત લીધી હતી. જો કે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ભાવનગર જમાતે 1 ફલેટની મુલાકાત પણ લીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરમાં 14 થી 20 માર્ચ સુધી મરકઝ મળી હતી. શહેરના નાગરવાડા અને સૈયદપુરામાં જમાત મળી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. આ મરકઝમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્ર પ્રદેશ અને ભાવનગરની જમાત આવી હતી.
વડોદરા શહેરમાં મળેલી મરકઝમાં આ 3 જમાતમાં 22 લોકો આવ્યાં હતા. જેમાંથી આંધ્ર પ્રદેશની જમાતના 7 લોકો પણ હજી આજે શહેરમાં છે. જ્યારે વડોદરા શહેરની 6 જમાત શહેરની બહાર ગઇ હતી. 6 જમાતના 77 લોકો મરકઝ માટે બહાર ગયા હતા.
દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે દિલ્લીના હજરત નિઝામુદ્દીન મરકજમાં મુસ્લિમો મળ્યા હતા. 1થી 15 માર્ચ સુધી તબલીગી એ જમાતની બેઠકમાં મુસ્લિમોએ ભાગ લીધો હતો. જેમાં દેશના અલગ અલગ રાજ્ય અને વિદેશમાંથી મળીને કુલ 1830 લોકોએ ભાગ લીધો હતો.
દિલ્લીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. .એકથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતા સરકારના આદેશનું ઉલ્લંઘન કરી લોકો એકઠા થયાં હતા. જેથી સરકારે લાલ આંખ કરી હતી, સરકારના આદેશના ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધાઇ હતી.