કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને ચેપ લાગવાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં દરેક માતા-પિતાના મનમાં આ મહામારીથી બાળકોને બચાવવા માટેનું ટેન્શન વધી રહ્યું છે. બાળકોમાં કોરોના વાયરસનો ચેપ હળવા લક્ષણોથી શરૂ થાય છે. જો શરૂઆતમાં તેને ગંભીરતાથી લેવામાં ન આવે તો તે ગંભીર હોઈ શકે છે.
નોઇડાની માતૃત્વ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નિયોનેટોલોજિસ્ટ ડો. નિશાંત બંસલે એવા લક્ષણો આપ્યા છે જે તમને એ જાણવામાં મદદ કરી શકે છે કે બાળકોને કોરોના સંક્રમણ છે કે નહીં.
બાળકોમાં કોરોના વાયરસના આ લક્ષણો જણાય તો ચેતી જજો
તાવ
ઉધરસ
શ્વાસ લેવામાં તકલીફ
ગળામાં દુખાવો
નાક વહેવું
ઠંડી લાગવી
સાંધાનો દુખાવો
માથાનો દુખાવો
8 વર્ષથી મોટા બાળકોમાં ટેસ્ટ અથવા ગંધની ક્ષમતા ઓછી
ઝાડા-ઉલટી અને થાક લાગવો
ડો.નિશાંત બંસલ કહે છે કે કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ કેટલાક બાળકોમાં સોજો પણ આવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ સોજો ઘણા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. બાળકોમાં આ સ્થિતિને મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (એમઆઈએસ-સી) કહેવામાં આવે છે. આ લક્ષણો કોરોના વાયરસ સાથે કેવી રીતે સંબંધિત છે તે અંગે હાલમાં સંશોધન ચાલી રહ્યું છે.
આ લક્ષણો એમઆઈએસ-સીમાં થાય છે
તેમણે ઉમેર્યું હતું કે, "જો તમારું બાળક એમઆઈએસ-સીથી પીડાય છે, તો તેને શ્વાસ લેવામાં, છાતીમાં દુખાવો અથવા દબાણ, વાદળી હોઠ અથવા ચહેરો, મૂંઝવણ અથવા જાગવામાં મુશ્કેલી પડી શકે છે. આવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં અને બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. મોટાભાગના કિસ્સાઓમાં આવા બાળકો સારવાર પછી સાજા થઈ ગયા છે.