રાજકોટમાં શંકાસ્પદ કોરોના વાયરસનો એક દર્દી સામે આવ્યો છે. ફ્રાંસથી રાજકોટ આવેલા યુવાનને કોરોનાના લક્ષણો દેખાયા છે. યુવાનને સિવિલના આઇસોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. યુવકના બ્લડ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.
રાજકોટ શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી નોંધાયો
ફ્રાંસથી યુવાન રાજકોટ આવ્યો હતો
સિવિલના આઇસોલેસન વોર્ડમાં ખસેડાયો
ગઈકાલે અમદાવાદમાં એક કેસ શંકાસ્પદ નોંધાયો
અમદાવાદમાં કોરના વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે. શહેરમાં વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. સેટેલાઇટ વિસ્તારના 44 વર્ષના આધેડનો રિપોર્ટ શંકાસ્પદ જોવા મળ્યો છે. જર્મનીના પ્રવાસથી પરત ફર્યા બાદ રિપોર્ટ શંકાસ્પદ જોવા મળ્યો છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે.
સાબરકાંઠામાં શંકાસ્પદ કેસ
સાબરકાંઠામાં શંકાસ્પદ કોરોનાના કેસ નોંધાયા છે.બંને દર્દીઓ હિંમતનગરના રહેવાસી હોવાનુ સામે આવ્યું છે.બંન્નેને સિવિલ હોસ્પીટલમાં ઓબર્ઝવેશન હેઠળ રખાયા છે અત્યાર સુધી 7 જેટલા દર્દીઓ કોરોના નેગેટિવ કેસ નોંધાયા છે.
કોરોનાને પગલે વિદેશથી 948 ભારતીયો રેસ્કયૂ કરાયા
કોરોનાને લઇ વિદેશથી ભારતીયોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 948 વિદેશી ભારતીયોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. ચીનના વુહાનથી સૌથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યાં છે. વુહાનથી 3 તબક્કામાં કુલ 766 ભારતીયોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 1, 3 અને 26 ફેબ્રુઆરીના વુહાનથી ભારતીયોને પરત લાવવામાં આવ્યાં છે. 27 ફેબ્રુઆરીના જાપાનથી 124 ભારતીયોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 7 માર્ચના ઇરાનથી 58 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
વૈશ્વિક લેવલે કોરોનાની કહાની
કોરોના વાયરસે વિશ્વભરમાં આતંક મચાવ્યો છે. ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલો કોરોના વાયરસ હવે વિશ્વના 119 દેશમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસે અત્યાર સુધી 4 હજાર 295 લોકોના જીવ લીધા છે. તો અત્યાર સુધી તેની ઝપેટમાં 1 લાખ 19 હજાર લોકો આવી ગયા છે. 10 માર્ચે એક જ દિવસમાં વિશ્વમાં કોરોના વાયરસના કારણે 245 લોકોના મોત નિપજ્યા છે.. ઈટલીમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ઈટલીમાં એક જ દિવસમાં 168 લોકોના મોત નિપજ્યાછે. તો ઈરાનમાં પણ વધુ 54 લોકોના મોત નિપજ્યા છે.. દક્ષિણ કોરિયામાં 5 લોકોના મોત થયા છે.. તો ફ્રાંસમાં 3, સ્પેનમાં 6, અમેરિકામાં, 4, જાપાન અને સ્વિત્ઝરલેન્ડમાં 1-1ના મોત થયા છે. આ તરફ ભારતમાં પણ કોરોના વાયરસને પગલે અલર્ટ છે. ભારતે મ્યાનમાન-બાંગ્લાદેશની બોર્ડર સીલ કરી દીધી છે.. મ્યાનમાર અને ભારતની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બીજી તરફ મણીપુર, સેક્ટરની ભારતની બોર્ડરને પણ સીલ કરવામાં આવી છે.