દેશમાં કોરોના વાયરસ ફેલા રહ્યો છે ત્યારે એક મહત્વની વાત જાણવા મળી છે કે કોરોના વાયરસનું સંક્રમણ લગભગ 10 દિવસમાં પૂર્ણ થાય છે. અગાઉ આ સમય 20 દિવસનો માનવામાં આવતો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં જેટલા પણ ટેસ્ટ થયા છે તેમાં સંક્રમણનો રિપોર્ટ નેગેટિવ આવવાનો સમય 10 દિવસનો રહે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાને લઈને કરી મોટી જાહેરાત
હવે 10 દિવસમાં જ કોરોનાનો રિપોર્ટ આવી રહ્યો છે નેગેટિવ
મહામારી ફેલાવવાનો ખતરો ઓછો અને સાવધાની જરૂરી
10 દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડિસ્ચાર્જ નીતિને લઈને જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આરટી- પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવવાના 10 દિવસમાં દેશમાં કેસ નેગેટિવ આવી રહ્યા છે. અનેય કેસમાં લોકોમાં સંક્રમણના લક્ષણ વિકસિત થતા 2 દિવસ પહેલાં વાયરસનો લોડ વધવાનું શરૂ થઈ જાય છે અને આવનારા 7 દિવસમાં તેની ક્ષમતા નબળી પડે છે.
ગંભીર રોગી ન હોય તો સંક્રમણનો ખતરો નહીંવત
કુલ 9 દિવસમાં સંક્રમણ લગભગ ખતમ થઈ રહ્યું છે. સામાન્ય લક્ષણોની સાથે જો 3 દિવસ સુધી તાવ ન આવે તો તે દર્દીને 10 દિવસમાં હોસ્પિટલથી રજા આપી દેવમાં આવે છે. તેમને ટેસ્ટની જરૂર પણ નથી રહેતી. આ રીતે રોગી ઘરે જ રહે છે તો તેમને પણ 10 દિવસમાં સ્વસ્થ માની લેવામાં આવે છે.
બીમારી ફેલાવવાનો ભય નહી
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે તેનાથી બીમારી ફેલાવવાનો ખતરો રહેતો નથી. સાવધાની રૂપે 10 દિવસ પૂરા થાય ત્યારે જ સાત દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઈન રાખવામાં આવે છે. સામાન્ય અને મધ્યમ લક્ષણના દર્દીને કોરોનાની સારવારમાં સાત દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઈન રાખવાનો સમય નત્તી કર્યો છે.
ટેસ્ટના લક્ષણ આધારે થશે સારવાર
મંત્રાલયે કહ્યું છે કે કોરોના દર્દીના ઉપચારને લઈને ટેસ્ટ આધારિત નીતિને બદલે લક્ષણોને આધાર બનાવવામાં આવી રહ્યો છે. અનેક દેશોએ આવું કર્યું છે. આ માટે સામાન્ય લક્ષણઓ વાળા દર્દીને ડિસ્ચાર્જ કરતી સમયે ટેસ્ટ કરવાની જરૂર રહેતી નથી. હાલ સુધી 2 નેગેટિવ ટેસ્ટ અને છાતીનો એક્સ રે જરૂરી હતો. હવે ફક્ત ગંભીર રોગીઓને માટે આ લાગૂ કરાયું હતું.