ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના અત્યાર સુધી જે જિલ્લાઓ કોરોનાથી મુક્ત હતા તેમાં પણ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધી રહી છે ત્યારે વધુ 4 પોઝિટિવ કેસો નોંધાયા છે.
સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના 4 કેસ
મૂળી અને લખતર તાલુકામાં 4 કેસ નોંધાયા
પોઝિટિવ દર્દીઓમાં 2 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસની મહામારીનો કહેર ધીરે-ધીરે વધી રહેલો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના 4 નવા કેસ સામે આવ્યાં છે. જેને લઇને જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંક 20 પર પહોંચ્યો છે.
જિલ્લાના મૂળી અને લખતર તાલુકામાં 4 કેસ નોંધાયા છે. જેમાં પોઝિટિવ દર્દીઓમાં 2 પુરુષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે તમામની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની હોવાનું સામે આવ્યું છે.
જિલ્લાના મુળી તાલુકાની વાત કરીએ તો મુળી, ટીડાણા અને દાણાવાડા ગામમાં કેસો સામે આવ્યાં છે, જ્યારે લખતર તાલુકામાં ઇંગરોળી ગામે કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે.