ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમા પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરત આવતી અને જતી બસોને આગામી 10 દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદથી પણ વધુ કેસ સુરતમાં આવતા આ પગલું લેવામાં આવ્યું છે.
સુરતથી ઉપડતી-જતી ST ખાનગી બસો 10 દિવસ બંધ
શહેરમાં કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
સુરતથી ઉપડતી-જતી બસોનું સંચાલન સ્થગિત
સુરતથી ઉપડતી-જતી બસો પર રોક લગાવવામાં આવી છે. સુરતથી ઉપડતી-જતી ST ખાનગી બસો 10 દિવસ બંધ રહેશે. શહેરમાં કોરોનાના વધતા કેસોને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતથી ઉપડતી-જતી બસોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. આજથી સુરતની બસ સર્વિસ 10 દિવસ સ્થગિત છે. અન્ય ખાનગી વાહનો, ટ્રક, પરિવહન ચાલુ રહેશે.
સુરતથી ઉપડતી-જતી બસોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. 27 જુલાઇથી સુરતની બસ સર્વિસ 10 દિવસ સ્થગિત છે.
સરકાર દ્વારા જાહેર કરેલા અનલોક-1 તથા 2ની ગાઈડલાઈન મુજબ ST બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોને સેનિટાઈઝેશન કરવાની સાથે રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા સોમવાર 27મી જુલાઈથી 10 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે.