ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર કોઇપણ ભોગે આ સંક્રમણને અટકાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. હાલ દક્ષિણ ગુજરાતમાં સુરતના દિહેણ ગામમાં 4 કેસ નોંધાતા તંત્ર હરકતમાં જોવા મળ્યું છે, જેને લઇને ગામને માસ ક્વોરોન્ટાઇન કરાયું છે.
દક્ષિણ ગુજરાતનું પ્રથમ ગામ કરાયુ સિલ
દિહેણ ગામ કરાયુ માસ ક્વોરોન્ટાઇન
ગામમાં 4 કેસ નોંઘાતા તંત્ર હરકતમાં
રાજ્યમાં એક તરફ કોરોના મહામારીનો કહેર સતત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના દિહેણ ગામમાં એક સાથે 4 કેસ નોંધાતા તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. જેને લઇને તંત્રએ દિહેણ ગામને માસ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યું છે.
સુરતના દિહેણ ગામ હાલ 2000ની વસ્તી ધરાવતું ગામ છે. કોરોના એકસાથે 4 કેસ નોંધાતા હાલમાં ગામ લોકોના ટેસ્ટ કરાવામાં આવી રહ્યાં છે. ગામમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓમાં વધારો થતાં ટેસ્ટ કરાઇ રહ્યાં છે.
જો કે બીજી બાજુ હાલમાં આરોગ્ય ટીમ પાસે ટેસ્ટિંગ કીટનો અભાવ જોવા મળ્યો છે. ગામના લોકો દ્વારા ટેસ્ટીંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે.