ગુજરાતમાં કોરોના બેકાબૂ બનતા લૉકડાઉનના નિયમો વધુ કડક બનાવવા માટે રાજ્ય સરકારે કમર કસી છે, અમદાવાદ, સુરત, વડોદરા, જેવા મહાનગરોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજરોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સની ટુકડી ઉતારવામાં આવી હતી. જેને લઇને સુરતમાં પેરામિલેટરી ફોર્સની 6 કંપની પહોંચી છે.
સુરતમાં પેરામિલેટરી ફોર્સની 6 કંપની પહોંચી
પ્રથમ વખત સુરત એરપોર્ટ પર આવ્યુ હરક્યુલસ વિમાન
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ નગરી સુરતમાં પેરામિલેટરી ફોર્સની 6 કંપની પહોંચી છે. જો કે, એક આશ્ચર્યજનક ઘટના એવી બની હતી કે, પ્રથમ વખત સુરત એરપોર્ટ પર હરક્યુલસ વિમાન ઉતર્યું હતું.
સુરતને આંગણે પ્રથમ આવ્યું હરક્યુલસ વિમાન
હરક્યુલસ વિમાન મારફતે આ પેરામિલેટરી ફોર્સના ટ્રક તથા તેમનો અન્ય સહિતનો સામાન સુરત આવી પહોંચ્યો છે. સુરતના આંગણે પ્રથમ વખત હરક્યુલસ વિમાન આવી ચડતા સ્થાનિકોમાં પણ કૌતુક જોવા મળ્યું હતું. નોંધનીય છે કે, કોરોના વાયરસ સામેની જંગમાં હવે પેરામિલેટરી મેદાને ઉતરી છે.
સુરતના કન્ટેઈન્મેન્ટ વિસ્તાર માટે કુલ 6 ટીમ ફાળવાઇ : DGP શિવાનંદ ઝા
સુરતના કન્ટેઈન્મેન્ટ વિસ્તાર માટે કુલ 6 કંપની ફાળવવામાં આવશે. સાથે કહ્યું કે ધાર્મિક આયોજનો અને મેળાવડા બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદના ગુરુદ્વારામાં ભેગાં થયેલાં લોકો વિરુદ્ધ કેસ કરાયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર
રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 291 કેસ નોંધાયા હતા.