ગુજરાતમાં કોરોનાના વધતાં કહેરને લઇને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને લઇને તંત્ર હરકતમાં આવી ગયું છે. લોકડાઉન વચ્ચે કોરોનાથી બચવા માટે સૌથી અગત્યનું સોશિયલ ડિસ્ટન્સિંગ છે. ત્યારે તંત્ર અને પોલીસ દ્વારા લોકોમાં તેને લઇને કડક અમલવારી કરાવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને સરકાર લોકોને લોકડાઉનનું પાલન કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કહી રહી છે. ત્યારે ધારાસભ્યની હાજરીમાં જ લોકડાઉનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવીની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું જોવા મળ્યું છે. જેમાં રાહત સામગ્રીની લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઇ પાલન થઇ રહ્યું નથી. આ કાર્યક્રમમાં જ ધારાસભ્ય હર્ષ સંઘવી બેઠા હોવા છતાં તેઓ પણ કોઇને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરી રહ્યાં નથી.
ત્યારે સવાલ એ થાય છે કે શું આ રીતે કોરોના દૂર થશે?. જો એક ધારાસભ્ય સામે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થશે તો કેવી રીતે કોરોનાને માત આપીશું?. લોકો પણ કેમ ગંભીરતા નથી સમજતા?