ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરની મનપા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેને શહેરની જનતાએ આવકારી છે. મનપા દ્વારા સૌથી વધુ સંક્રમિત ઝોનમાં બોર્ડ લગાવામાં આવ્યાં છે.
કોરોના અંગે લોકોમાં જાગૃતી લાવવા સુરત મનપાની પહેલ
સૌથી વધુ સંક્રમિત ઝોનમાં લગાવ્યા બોર્ડ
રાંદેર ઝોનમાં ઠેર ઠેર સાવચેતીના બોર્ડ મુકાયાં
ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે અવનવી પહેલ કરવામાં આવતી હોય છે. ક્યારે શહેરમાં પોલીસ દ્વારા ચાર રસ્તા પર માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને જાણકારી આપવામાં આવતી હોય છે. ત્યારે હવે રાજ્યના સુરત શહેરમાં વધતા કેસની વચ્ચે મનપા દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
સુરતમાં કોરોના વધતા જતાં સંક્રમણ વચ્ચે પણ લોકોની બેદરકારી સામે આવી રહી છે. આ સ્થિતિને જોતા સુરત મહાનગરપાલિકાએ લોક જાગૃતિ માટે એક નવી પહેલ શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી વધુ સંક્રમિત ઝોનમાં બોર્ડ લગાવામાં આવ્યાં છે. જેમાં રોડ ઉપર, સર્કલ ઉપર ઠેર-ઠેર કોરોનામાં સાવઘાન રહેવા અને સાવચેતી રાખવા માટે બોર્ડ મૂકાયાં છે. શહેરના રાંદેર, અઠવા પશ્ચિમ સુરતમાં આ રીતે જાહેર બોર્ડ લગાવીને કોરોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે.