કોરોના વાયરસ જેટલાં લોકોનો ભોગ લેશે તેના કરતાં વધારે તો કરોડો લોકોની રોજીરોટીનો ભોગ લેશે. હાલમાં ઉદ્દભવેલી પરિસ્થતિથી ગુજરાતમાં વસતાં લાખોની સંખ્યામાં શ્રમિકો રોજગારી ના મળતાં પોતાના વતન જવા માંગે છે. સુરતમાં ગઈકાલે ક્લેક્ટરને 10 હજાર શ્રમિકોએ વતન જવાની અરજી કરી હતી, પરંતુ તેમાંથી માત્ર પાંચ હજાર અરજીઓને જ મંજુરી મળી છે.
સરકારી તંત્રમાં સંકલનના અભાવે શ્રમિકો હેરાન
માત્ર ત્રણ જ રાજ્યોના શ્રમિકોને પરવાનગી
10 હજારમાંથી 5 હજાર અરજીઓ ના મંજૂર કરાઈ
સરકારના અણધણ વહીવટની આ ખુબ મોટી પોલ ખુલી છે. સુરતમાં રહેતાં હજારો શ્રમિકોએ વતન જવાં માટે ક્લેક્ટરને અરજી કરી પરંતુ ક્લેક્ટરે માત્ર ત્રણ રાજ્યોના શ્રમિકોની જ અરજી મંજુરી કરી. જેમાં મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કલેક્ટરે અન્ય રાજ્યો અને જિલ્લાઓના શ્રમિકોની અરજીઓ ના મંજૂર કરી છે.
ગઈકાલે કલેક્ટરે જાહેરાત કરી હતી કે ઉત્તરપ્રદેશ માટે પરવાનગી અપાતી હતી. સરકાર દ્વારા ફક્ત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની મંજૂરી અપાઈ છે. જો કે અન્ય રાજ્યોના શ્રમિકો અવઢવમાં છે કે અમને વતન જવા દેવામાં આવશે કે કેમ. જો કે બંને રાજ્ય સરકારો વચ્ચેના સંકલનના અભાવે આ શ્રમિકો હેરાન થઈ રહ્યા છે. ઉતરપ્રદેશની સરકાર શ્રમિકોને આવવા દે તૈયાર છે કે કેમ એ પણ પ્રશ્નાર્થ છે.