દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંકટ વચ્ચે પરગજુ લોકો દ્વારા કોવિડ સેન્ટર અને અન્ય મદદ કરવાની સરવાણી શરૂ થઇ છે. ત્યારે સુરતના આ શખ્સે સમાજમાં કાંઇક અલગ ઉદાહરણ સ્થાપ્યું હતું.
આર્થિક નબળી સ્થિતિમાં સેવાનો ધોધ
એક લાખ અનાજની કીટનું વિતરણ કરાયું
ધવલ અકબરીની વિશેષ લોક સેવા
સુરતને દાન પુણ્યની ભૂમિ કહેવામાં આવે છે. કોઈપણ વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઉભું હોય છે. લોકોને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડે છે.
એક લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમાં કરી વિતરણ
હાલ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં ભરડો લીધો છે. લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડયા છે તેવામાં સુરતથી એક ભામાશા લોકોની મદદે આવ્યા છે અને એક લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નિર્ધાર કર્યો છે.
ધવલ અકબરી કરી રહ્યા છે મદદ
જેની શરૂઆત સુરતથી કરવામાં આવી છે. કામ ધંધો ન હોવાના લીધે લોકો ને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોને ઘરમાં અનાજ લેવાના પણ ફાંફા પડી રહ્યા છે. તેથી લોકોને મદદ રૂપ થવા ધવલ અકબરી નામના યુવક આગળ આવ્યા છે અને લોકોને અનાજની કિટ આપી રહ્યાં છે.
જામનગરની સંસ્થાએ શરૂ કર્યું કોવિડ સેન્ટર
દેશભરમાં કોરોના સંકટ વધી રહી રહ્યું છે અને હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને લીધે હોસ્પિટલો હાઉસફૂલ થઇ ચૂકી છે. દેશમાં અને ભારતમાં દરરોજ વધી રહેલા કોરોનાના અને કોરોનાથી થતાં મૃત્યુના આંકડા ચિંતા વધારનારા છે ત્યારે જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓ મદદ માટે આગળ આવ્યા છે.
70 થી 80 કોવિડ બેડવાળા સેન્ટરનો કર્યો પ્રારંભ
કોરોનાના દર્દીઓ માટે 70 થી 80 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો અહીં સારવાર અર્થે આવેલા તમામ દર્દીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમામ દર્દીઓનો પુરતા પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમ પણ સેવામાં જોતરાઇ છે.
દર્દીઓની સાથે આવતા લોકો માટે પણ ટ્રસ્ટ દ્વારા કરાઇ અલાયદી વ્યવસ્થા
આ સાથે જ કુંવરબાઈ જૈન ધર્મશાળાના કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓના સગા વહાલાઓને પણ ખોટી મુશ્કેલીનો સામેનો કરવો ન પડે તે માટે સંસ્થા દ્વારા અલાદયી વ્યવસ્થા કરાઇ છે.