રાજ્યમાં કોરોના વાયરસને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે લોકોની જીવનજરૂરિયાતની વસ્તુ મળી રહે તે માટે થોડી રાહત સાથે છૂટછાટ આપવામાં આવી છે. જેમાં રાજ્યની જનતા પોતાની જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે. સુરતમાં ગઇકાલે ડી-માર્ટના કર્મચારીમાં કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો.
ડી માર્ટમાં ખરીદી કરવા ગયેલા 3 હજારથી વધુ ગ્રાહકને કરાઈ જાણ
યુવકના પરિવાર અને સંપર્કમાં આવનાર સહકર્મીઓને કરાયા કોરેન્ટાઈન
સુરતમાં ગઇકાલે ડી માર્ટના કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકા એલર્ટ જોવા મળી છે. આ મામલે સુરત નગરપાલિકાએ ડી માર્ટમાંથી ખરીદી કરનારા 3000થી વધારે ગ્રાહકોને મેસેજ કરી જાણ કરવામાં આવી છે.
પાલિકાની સર્વેલન્સ ટીમે ગ્રાહકોને મેસેજ કરીને પોતાના ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. બીજી તરફ 22 વર્ષીય યુવકના પરિવાર અને તેના સંપર્કમાં આવનાર સહકર્મીઓને પણ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
આમ કોરોનાને લઇને વારંવાર સરકાર દ્વારા સમજાવામાં આવી રહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. આમ કારણ વગર ઘરની બહાર નીકળતા લોકોએ ચોક્કસ સાવધાની રાખવાની જરૂર છે.