સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. તો આ ઇન્જેક્શનના વિવાદ વચ્ચે સુરતમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે સતત કામગીરી ચાલુ છે.
ધનવંતરી રથનો પૂર્ણ લાભ લો: જયંતિ રવિ
માસ્ક પહેર્યા વિના કોઈ ઘરેથી બહાર ન નિકળેઃ જયંતિ રવિ
સુરતવાસીઓ 2-3 અઠવાડિયા જાળવજોઃ જયંતિ રવિ
સુરતમાં અનલૉક-2 ભારે પડ્યું છે. અનલૉક થતાં સુરતવાસીઓ બેફીકર થઇને બજારોમાં નિકળી પડતા કોરોનાના કેસમાં ભારે વધારો થયો છે. દરરોજ સરેરાશ 200થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં ગીચતાને કારણે કોરોનાના કેસ વધતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લામાં કોરોના કુલ કેસ 6731 પર પહોંચ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ કોરોનાને લઇને સુરતની મુલાકાતે છે. ત્યારે ગુરૂવારે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સુરતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે જે અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઇ છે. તો સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોના ડૉક્ટર્સ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.
સુરતવાસીઓ 2-3 અઠવાડિયા જાળવજોઃ જયંતિ રવિ
જયંતિ રવિએ કહ્યું કે, શહેરમાં મોટાભાગના લોકો માસ્ક પહેરે છે, પરંતુ હજુ આપણી પરિસ્થિતિ 2-3 અઠવાડિયા માટે જાળવવાની જરૂર છે. ગભરાયને ધ્રુજવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહીએ. સજ્જ અને સજાગ રહીએ. માસ્કપહેર્યા વગર બહાર ન નિકળીએ. અનલૉક ભલે કર્યું પરંતુ બિન જરૂરી બહાર ન જોઇએ.
શરદી, તાવ, કફ, ઉધરસ હોય તો વિલંબ કર્યા વિના ચેકઅપ કરાવોઃ જયંતિ રવિ
જયંતિ રવિએ કહ્યું કે, કોરોનાના સંક્રમણને લઈ સતત કામગીરી ચાલુ છે. સુરતમાં ધનવંતરી રથના માધ્યમથી સારૂ કામ થઈ રહ્યુ છે. તો આ ધનવંતરી રથનો પૂર્ણ લાભ લો. આરોગ્ય અગ્ર સચિવે સર્વેલન્સમાં સાચી માહિતી આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સર્વેલન્સમાં શરદી, તાવ, કફ, ઉધરસની સાચી માહિતી આપો. વિલંબ કર્યા વિના તમારૂ ચેકઅપ કરાવો.
વધુમાં તેમણે કહ્યું કે, ખાનગી તબિબો સાથે કોરોના મામલે ચર્ચા કરી છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો બિમારી લાગૂ પડે છે. તો સુરતમાં ઉકાળા માટે પણ લોકોના સહયોગ મળી રહ્યો છે. લોકો ઉકાળાની વહેંચણી પણ કરી રહ્યા છે. સુરતમાં હોમ આઈસોલેશનની સુવિધા પણ સારી છે.