ભારત સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાંથી રાહતના સમાચાર પણ મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના સુરતમાંથી કોરોના વાયરસના 5 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જો કે કોરોના વાયરસના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રને હાશકારો થયો છે.
સુરતમાં કોરોના વાયરસના 5 લોકોના રિપોર્ટ આવ્યા નેગેટિવ
આજે કોરોનાના નવા 8 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ
શહેરના હજુ પણ 9 લોકોના રિપોર્ટ આવવાના છે બાકી
સુરતમાં તંત્ર દ્વારા દરરોજ કોરોના વાયરસના શંકાસ્પદ લોકોના રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે. શનિવારે તંત્ર દ્વારા લેવામાં આવેલા 5 મહિલાઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે કોરોનાના નવા 8 શંકાસ્પદ દર્દીઓને સારવાર અર્થે દાખલ કરાયા છે.
જેમાં 38 વર્ષીય પુરુષ, ,યુએઈથી પરત આવેલા 26 વર્ષીય પુરુષ પુનાથી પરત આવેલા 24 વર્ષીય પુરુષ મહારાષ્ટ્રથી પરત આવેલા 26 વર્ષીય પુરુષ, લોકલ ટ્રાવેલ કરીને આવેલા 30 વર્ષીય પુરુષ, મુંબઈના ઉલ્લાસનગરથી આવેલા 37 વર્ષીય પુરુષ, લોકલ ટ્રાવેલ કરીને આવેલા 17 વર્ષીય યુવક અને વલસાડથી પરત ફરીને આવેલા 67 વર્ષીય મહિલાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 77 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી 62 લોકોના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજયમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયા છે. હાલ રાજ્યમાં 19 હજાર 661 લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે. જો કે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ 14 દિવસ સુધી આઇસોલેશનમાં રખાશે.