કોરોના મહામારીને કારણે માર્ચ 2020થી શાળા-કોલેજો બંધ છે. એવામાં કોરોનાના કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે અને કોરોનાની મહામારીનું કોઈ મારણ નથી મળ્યું ત્યારે હવે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે તેવી અફવાઓ જોર પકડ્યુ છે. ત્યારે હવે આ અંગે શિક્ષણમંત્રીએ ખુલાસો કર્યો હતો.
કોરોના કાળમાં વિદ્યાર્થીઓને મળી શકે છે માસ પ્રમોશન
શું હતી અફવા?
અફવાનું ખંડન કર્યુ શિક્ષણમંત્રીએ
કોરોનાની મહામારીને લઈને હાલ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે ત્યારે વારંવાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે તર્કવિતર્કો થતા રહે છે ત્યારે આ મુદ્દે હાલમાં જ માસ પ્રમોશન અપાશે તેવી અફવા ઉડી હતી જેને પગલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ખુલાસો આપ્યો હતો.
શું કહ્યું શિક્ષણમંત્રીએ?
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતુ કે, માસ પ્રમોશન આપવા અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. આ એક અફવા છે. ગાઈડ લાઈન પ્રમાણે વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ નુકસના ન થાય તેવા પ્રયાસો સરકાર દ્વરા કરાઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન તેમજ રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી જે વિદ્યાર્થીઓના હિતમાં હશે તે નિર્ણય લેવાશે.
શું હતી અફવા?
માસ પ્રમોશન કોરોના કાળમાં વિદ્યાર્થીઓને મળી શકે છે. રાજ્યમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. માસ પ્રમોશન ધોરણ 10-12 સિવાયના વિદ્યાર્થીઓને અપાય શકે છે. આખા વર્ષથી સ્કૂલો શરૂ નથી થઈ તેવા સંજોગોમાં પરીક્ષા લેવી અશક્ય છે. ધોરણ 10-12 ના વિદ્યાર્થીની પરીક્ષા પેટર્ન પણ બદલાઈ શકે છે. શિક્ષણ વિભાગ સ્કૂલો શરૂ ન થતા માસ પ્રમોશન અંગે વિચારી રહ્યું છે