દેશમાં કોરોના વાયરસ અત્યારે બીજા સ્ટેજ પર છે. એટલે અત્યારે સ્થાનીક સ્તર પર લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પરંતુ આ સ્ટેજ ત્રીજા સ્ટેજ એટલે કે સમુદાયિક સંક્રમણ પર પહોંચી ગયો તો આ સમસ્યા થઈ શકે છે. એટલા માટે આવનારા થોડ કલાકો બહું મહત્વના છે. ઈન્ડિયન કાઉન્સેલિંગ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિક એ શોધવામાં લાગ્યા છે કે ત્રીજા સ્તર પર પહોંચતા કેટલો સમય લાગશે.
આવનારા 24થી 36 કલાકમાં એ ખબર પડી જશે કે...
વાયરસે ભારતમાં કમ્યૂનિટી ટ્રાન્સમિશન શરુ કર્યુ કે નહીં
ત્રીજા સ્તર પહોંચી ગયો તો તેને સંભાળવો બહું મુશ્કેલ થઈ જશે
ICMRના વૈજ્ઞાનિક ડૉ. આર. આર. ગંગાખેડકરે જણાવ્યુ કે આવનારા 24થી 36 કલાકમાં એ ખબર પડી જશે કે કોરોના વાયરસે ભારતમાં કમ્યૂનિટી ટ્રાન્સમિશન શરુ કર્યુ કે નહીં. અટેલે કે સ્ટેજ ત્રણ પર વાયરસ પહોંચ્યો કે નહી. એ જાણવા માટે ગણિત મોર્ડલ પર કામ કરી રહ્યા છે. ડૉ. ગંગાખેડકરે આ જાણકારી એક મીડિયા સંસ્થાને આપી હતી.
કેમ કે હાલમાં જ ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે પણ કહ્યું હતું તે જો કોરોના વાયરસ દેશમાં સ્ટેજ ત્રીજા સ્તર પહોંચી ગયો તો તેને સંભાળવો બહું મુશ્કેલ થઈ જશે. એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહ્યો છે તે ત્રીજા સ્ટેજ પર ના પહોંચે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પોતાના સ્તરે રહેલા જોખમનું આકલન કરી તે વિસ્તારની ઓળખ કરવા માટે કહ્યું છે. જ્યા લોકડાઉનની જરુર છે. ત્યાં સંક્રમણની ચેનને તોડવામાં આવશે.
હરિયાણાના ઈજ્જર સ્થિત 800 બેડની નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટને કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે રિઝર્વ કરવામાં આવી છે. 1200 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં કોરોનાથી સંક્રમણના મામલામાં વૃદ્ધિનું કારણ ગત કેટલાક સપ્તાહોમાં અમેરિકા, યૂકે જેવા ખરાબ રીતે કોરોનામાં સપડાયેલા દેશમાંથી ભારતીયો પરત ફરી રહ્યા છે.
ડૉ. બલરામ ભાર્ગવે એ પણ જણાવ્યું કે 80 ટકા કેસમાં સામાન્ય બિમારી છે. તેમના સંક્રમણનું કારણ જાણી શકાયું નથી. 20 ટકા મામલામાં કોવિડ -19માં તાવ અને ખાંસી હોય છે. લગભગ 5 ટકા સંક્રમિતોને ભરતી કરાવવાની જરુર હોય છે.
ડૉ. ભાર્ગવે જણાવ્યું કે ગંભીક રુપે બિમાર દર્દીઓની સારવાર અલગ અલગ લક્ષણોના આધાર પર કરવામાં આવી રહી છે. જેમાં કેટલીક દવાઓના કોમ્બિનેશન અજમાવવામાં આવી રહ્યું છે. પરંતુ સારવારની હજુ સુધી કોઈ દવા મળી નથી.