કોરોના વાયરસ જાનવરની સરખામણીમાં માણસોને ઝડપથી જકડી લે છે. આ દાવો ઓસ્ટ્રેલિયન વિજ્ઞાનીએ પોતાના રિસર્ચમાં કર્યો છે. ફ્લિંડર્સ યુનિવિર્સટીના સંશોધકોના જણાવ્યા મુજબ સંક્રમણને સમજવા માટે અભ્યાસ કરાયો, જેમાં જાણવા મળ્યું કે કોરોના વાઇરસનું સ્પાઇક પ્રોટીન માણસોમાં મળી આવતા રિસેપ્ટર ACE-2થી મળીને વધુ ઝડપથી કોશિકાઓને સંક્રમિત કરે છે. પેંગોલિન અને ચામાચીડિયાની સરખામણીમાં કોરોના માણસની કોશિકાઓમાં ઝડપથી પ્રવેશ કરવામાં સફળ રહે છે.
જાનવરની સરખામણીમાં માણસોના શરીરમાં સરળતાથી ઘૂસી જાય છે કોરોના વાયરસ
ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો દાવોઃ પેંગોલિન અને ચામાચીડિયાની સરખામણીમાં કોરોના માણસોની કોશિકાઓમાં ઝડપથી પ્રવેશે છે
સંશોધક અને વાયરસ નિષ્ણાત નિકોલાઇ પૈત્રોવ્સ્કીના જણાવ્યા મુજબ કોરોના વાયરસ એ પ્રજાતિને સંક્રમિત કરે છે, જેને તે સૌથી વધુ સંક્રમિત કરી ચૂક્યો હોય છે. કોઇ નવી પ્રજાતિને તે સરળતાથી સંક્રમિત કરી શકતો નથી. એ ચોંકાવનારી વાત છે કે તે માણસોની કોશિકાને પહેલાંથી સંક્રમિત કરી ચૂક્યો છે.
વાયરસ નિષ્ણાત નિકોલાઇ કહે છે કે કદાચ વાયરસ પહેલાં ક્યારેક માણસની કોશિકાઓને સંક્રમિત કરી ચૂક્યો છે તો બની શકે કે તે લેબમાં પ્રયોગ દરમિયાન બન્યું હોય. આ વાયરસની સંરચના અને વ્યવહારને જોઇ લાગે છે કે તે માણસોને સંક્રમિત કરવા માટે પરફેક્ટ છે.
નિકોલાઇ કહે છે કે કોરોનાના કેસમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે હજુ સુધી તેનું મુખ્ય વાહક જાણી શકાયું નથી. નિકોલાઇ કહે છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ પર હજુ રિસર્ચ કરવાનું બાકી છે. ચીનના વુહાનમાં પેંગોલિન અને ચામાચીડિયાને નજીકના સોર્સ માનવામાં આવે છે, પરંતુ એવું શક્ય છે કે લેબમાં આ બંનેના ક્રોસ કંટામિનેશનથી નવા પ્રકારનો વાયરસ ઉદભવ્યો હોય.