મહામંથન / નિરંતર ફેલાતો 'કોરોના' અંતરથી જ અટકશે !

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. આપણે આંકડાઓ જોઈએ છીએ, બ્રિફિંગ સાંભળીએ છીએ પરંતુ દિલને ઠંડક મળે તેવા સમાચાર આવતા નથી.. સ્વાસ્થ્ય મંત્રાલય પણ હંમેશની જેમ કહી રહ્યુ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાય હાલ તો કોરોનાને અટકાવવાનો કોઈ વિકલ્પ નથી. સામાન્ય રીતે આપણે કોઈપણ વ્યકિત કે વસ્તુ વચ્ચે અંતર વધે તેને હિતકારી દ્રષ્ટિએ જોતા નથી પરંતુ કોરોનાના કિસ્સામાં મામલો જુદો છે. અહીં બે વ્યકિત કે વસ્તુ વચ્ચેનું અંતર જ નિરંતર ફેલાતા કોરોનાને અટકાવી શકે છે. આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ