દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એ વાતનો સ્વીકાર કર્યો કે દિલ્હી સરકાર કોરોનાથી એકલી લડાઇ લડતી તો નિશ્ચિત જ અમે કોરોના સામેની લડાઇ હારી ગયા હોત. કેજરીવાલે કહ્યું કે અમે આ લડાઇમાં કેન્દ્ર સરકાર, એનજીઓ અને ધાર્મિક સંગઠનોને એકસાથે જોડ્યાં. દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યું કે બધાના એકસાથેના પ્રયત્નોના કારણે આજે દિલ્હીમાં અંદાજ કરતા અડધી સંખ્યામાં કોરોનાના દર્દીઓ છે.
દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે અગાઉ આવેલા અંદાજ મુજબ દિલ્હીમાં 15 જુલાઇ સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા 2.25 લાખ પહોંચવાની શક્યતા હતી. પરંતુ આજે આ આંકડો અનુમાનથી લગભગ અડધો છે. આ સમયે દિલ્હીમાં આજે કોરોનાના 1.15 દર્દીઓ છે.
If the Delhi Government had decided to battle #COVID19 alone, we would have failed. That is why we went to everyone including central government, NGOs & religious organisations. I thank all parties including BJP and Congress: Arvind Kejriwal Delhi CM https://t.co/gCslxxgUacpic.twitter.com/81Je6HZQvG
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો દિલ્હી સરકાર કોરોના વાયરસ મહામારી સામે એકલી લડી હોત તો અમે હારી ગયા હોત. એટલા માટે અમે બધાને કોરોના જંગમાં જોડયાં. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર, એનજીઓ અને ધાર્મિક સંગઠનોના સહિયારા પ્રયત્નોના કારણે આ સમયે દિલ્હીમાં સ્થિતિ સારી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ સહયોગ માટે કોંગ્રેસ અને ભાજપનો આભાર વ્યક્ત કર્યો.