શ્રાઈન બોર્ડે વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યાના ઓછોમાં ઓછા 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવા સલાહ આપી છે. જેને ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે તેવા શ્રદ્ધાળુઓને પણ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખવા સલાહ આપી છે.
કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને પહેલા હાથ ધોઈ પછી અંદર જવા દેવાય છે
વિદેશથી પાછા ફરેલા શ્રદ્ધાળુઓને 28 દિવસ સુધી દર્શન માટે ન આવવા સલાહ
લોકોને જાગૃત કરવા માટે હોડિંગ લગાવવામાં આવ્યાં અને હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા
કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચનાર દર્શનાર્થીઓને પહેલા આ કામમ કરાવાય છે
કોરોના વાયરસના પ્રકોપથી ધાર્મિક સ્થળ પણ સર્તક થઈ ગયા છે અને સાવાધાની રાખી રહ્યા છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચનાર દર્શનાર્થીઓને પહેલા હેન્ડ વૉશ કરાવાય છે. એ બાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે એડવાઈઝરી જાહેર કરી છે.
ઓડિયો સિસ્ટમના માધ્યમથી જાણકારી આપાઈ રહી છે
શ્રાઈન બોર્ડે વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યાના ઓછોમાં ઓછા 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવા સલાહ આપી છે. જેને ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે તેવા શ્રદ્ધાળુઓને પણ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખવા સલાહ આપી છે. તેમજ લોકોને જાગૃત કરવા માટે કટારાથી મંદિર સુધી ઓડિયો સિસ્ટમના માધ્યમથી જાણકારી આપી રહ્યા છે.
શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવી છે આ તૈયારીઓ
કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે સેનેટાઈઝર કરવાની સાથે સાથે પ્રતિષ્ઠાનોના દિવસોમાં ચાર વાર સફાઈ કરવામાં આવી રહી છે. ક્યૂ કોમ્પલેક્સ, વેટિંગ હોલ, આવાસ વગેરેની સફાઈ પર વિશેષ ધ્યાન આપવી રહ્યું છે. આ અંગે બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું છે કે કટારા રેલવે સ્ટેશનથી નિહારિકા કોમ્પલેક્ષ, હેલીપેડ પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. જ્યાં શ્રદ્ધાળુઓ પાસે આવેદન પત્ર ભરાવવામાં આવ્યા છે અનેક જગ્યાએ હોડિંગ લગાવવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિમાં તાવ, ઉઘરસ કે ખાંસીના લક્ષણો જણાય તો ડૉક્ટરોની ટીમ તેમનું નિદાન કરે છે. તેમ કર્મચારીઓ માટે માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.
BAPS સંસ્થાનના તમામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો મુલતવી
તેમજ કોરોના વાયરસને પગલે ભારતના BAPS સંસ્થાનના તમામ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા, પાટોત્સવ, પૂનમ, એકાદશી જેવા ધાર્મિક કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી કરાયા છે. આ ઉપરાંત અનેક મંદિરો એ પણ વિશેષ પગલા ભર્યા છે.