દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાને લઇને હાલમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે દેશમાં લાગુ કરાયેલ લોકડાઉન 4માં સરકાર દ્વારા પ્રજાલક્ષી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા શ્રમિકોને લઇને શ્રમિક સ્પેશિયલ શ્રમિક ટ્રેન દોડાવામાં આવી રહી છે. જો કે વતન જઇ રહેલા શ્રમિકો પાસેથી અમદાવાદ શહેરમાં રૂપિયા પડાવવામાં ભાજપના કાર્યકરોની સંડોવણી સામે આવી છે.
અમદાવાદમાં શ્રમિકો પાસેથી પૈસા પડાવવાનો મામલો
ટ્રેનથી ટિકિટના નામે પૈસા પડાવવાનો મામલો
રૂપિયા પડાવવા મામલે ભાજપના કાર્યકર્તાનું નામ આવ્યુ સામે
કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોને વતન જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે ટ્રેનથી વતન જતા શ્રમિકો પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાજપના કાર્યકરની સંડોવણી સામે આવી છે.
ગુજરાતમાંથી શ્રમિકોને પોતાના વતન મોકલવાના મામલે રૂપિયા વસૂલવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેમાં શહેરના સરદારનગર વોર્ડનો કાર્યકર શ્રમિકો પાસેથી રૂપિયા પડાવતો ઝડપાયો છે.
આ કાર્યકર શ્રમિકો પાસેથી 750ના બદલે એક હજાર રૂપિયા પડાવતો હતો. બિહાર, પટના જતા શ્રમિકો પાસેથી કાર્યકરે વધુ પૈસા પડાવ્યા હતા. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં 4 આરોપી સામે ગુનો નોંધાયો છે.