એક્સપર્ટના જણાવ્યાનુસાર મેના પહેલા એઠવાડિયામાં કોરોનાનો પીક આવ્યો અને મામલા ઓછા થવા લાગશે.
કોરોના વાયરસ 7 દિવસ સુધી વધારે અસરકારક રહેશે
મેના પહેલા અઠવાડિયામં કોરોના પીક પર હશે પછી સ્પીડ ઘટશે
મહારાષ્ટ્રમાં પીક પર કોરોના
કોરોનાની બીજી લહેરના કારણે સતત રોજ 3 લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેને રોકવા માટે રસીકરણ અને ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. આ દરમિયાન અનેક એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાનો પીક જલ્દી આવશે. એક્સપર્ટના જણાવ્યાનુસાર મેના પહેલા એઠવાડિયામાં કોરોનાનો પીક આવ્યો અને મામલા ઓછા થવા લાગશે.
મેના પહેલા અઠવાડિયામં કોરોના પીક પર હશે પછી સ્પીડ ઘટશે
આઈઆઈટી કાનપુરે હત 7 દિવસોમાં દેશના અલગ અલગ ભાગોમાં કોરોનાને લઈને એક મેથમેટિકલ સ્ટડી કર્યુ છે. આ સ્ટડીના આધાર પર આ નિષ્કર્ષ નિકળ્યુ છે કે મેના પહેલા અઠવાડિયામં કોરોના પીક પર હશે અને તેની સ્પીડ ઘટવા લાગશે. આઈઆઈટી પ્રોફેસર મનિંદર અગ્રવાલના જણાવ્યાનુંસાર આ સ્ટડી ગણિત વિજ્ઞાનના આધાર પર કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે ભારતનો પીક એપ્રિલના અંત અને મેની શરુઆતમાં આવશે. એ બાદ કેસ ઓછા થઈ જશે. આ ગ્રાફ તેમણે હત વર્ષ ફેલાયેલા સંક્રમણના આધાર પર બનાવીને તૈયાર કર્યો છે.
કોરોના વાયરસ 7 દિવસ સુધી વધારે અસરકારક રહેશે
તેમનું માનવું છે કે આ કોરોના વાયરસ 7 દિવસ સુધી વધારે અસરકારક રહેશે. દેશમાં જે રાજ્યોમાં કોરોના વધારે ઘાતક છે ત્યાંના કેસ અને વાયરસનું અધ્યયન કરતા ડેટા અનુસાર ગ્રાફ તૈયાર કર્યો છે. દરેક રાજ્યો માટે અલગ અલગ ગ્રાફ તૈયાર કરતા કોરોનાનો પીક ટાઈમ જણાવ્યો છે. ગણિતીય મોર્ડલના માધ્યમથી કોરોનાના વધતા સંક્રમણના કેસ પર જે અધ્યયન કરવામાં આવ્યુ છે તે મુજબ 15 મેની આસપાસ કોરોનાના એક્ટિવ કેસ 33થી 35 લાખથી નજીક પહોંચી ગયા છે.
ક્યાં પહોંચશે કોરોનાના આંકડા
આ સવાલના જવાબમાં આઈઆઈટીની સ્ટડી મુજબ ઉત્તર પ્રદેશમાં 35000 કેસ રોજના આવી શકે છે. દિલ્હીમાં આ સંખ્યા 30000 પ્રતિદિન થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં 11000, રાજસ્થાનમાં 10000 અને બિહારમાં 9000 પ્રતિદિનના હિસાબે કોરોના વાયરસ કેસ જોઈ શકાય છે.
મહારાષ્ટ્રમાં પીક પર કોરોના
કોરોના વાયરસને લઈને કરવામાં આવેલી આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોનો એમ પણ દાવો છે કે મહારાષ્ટ્રમાં કોરોના હવે પીક પકડી ચૂક્યો છે. 30 એપ્રિલ આવતા આવતા ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં કોરોના પોતાના અંતિમ ચરણ પર હશે અને પછી ઘટશે.
અત્યાર સુધીમાં 1.79 કરોડ લોકો સંક્રમિત
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,88,637 થઈ ગઈ છે. જ્યારે રાષ્ટ્રીય સ્તર પર સાજા થનારાનો દર ઘટીને 82.54 ટકા થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર સંક્રમણથી 3285 લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુ આંક 2,01, 165 થઈ ગયો છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા વધીને 29, 72, 106 થઈ ગઈ. જે કુલ સંક્રમિતોના 16.34 ટકા છે. ત્યારે રાષ્ટ્રીય સ્તર પર કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 82.54 ટકા થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યાનુસાર સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,48,07,704 થઈ છે.