ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ હવે દુનિયાભરમાં ફેલાઇ ચુક્યો છે. આ કોરોના વાયરસે ભારતમાં પણ દસ્તક દીધી છે. કોરોના વાયરસને કારણે ભારતમાં લોકોના લગભગ 13 લાખ કરોડ રૂપિયા ડૂબી ચૂક્યા છે.
કોરોના વાયરસને કારણે ભારતમાં લોકોના 13 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા
શૅર બજારમાં રોકાણ કરનારા રોકાણકારોમાં પણ ડરનો માહોલ
વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસના ફેલાવાને કારણે રોકાણકારોમાં ભયનો માહોલ છે. એવામાં શૅર બજારમાં રોકાણ કરનારા રોકાણકારોમાં પણ ડરનો માહોલ છે.
આ કારણ છે કે વિદેશીની સાથે ઘરેલુ રોકાણકાર શૅર વેચવા લાગ્યા છે. આ સ્થિતિમાં શૅર બજારના સૂચકાંક બીએસઇ (BSI) ઇન્ડેક્સનું માર્કેટ કેપિટલ પણ લગભગ 13 લાખ કરોડ ઓછુ થઇ ગયું છે. ગત 11 ફેબ્રુઆરીએ શૅર બજારમાં બીએસઇ ઇન્ડેક્સનું માર્કેટ કેપ 1,58,97,505.26 કરોડનું હતું. જે 4 માર્ચે એટલે કે બુધવારે 1,46,83,597.93 કરોડ રૂપિયા પર આવી ગયો.
તેનો અર્થ એ થયો કે 11 ફેબ્રુઆરી બાદ રોકાણકારોને અત્યાર સુધીમાં 12.82 લાખ કરોડથી વધારેનું નુકશાન થઇ ચૂક્યું છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના 25થી વધારે મામલાઓની પુષ્ટી થઇ છે.
આ કારણ છે કે રોકાણકારોમાં ડર જોવા મળી રહ્યો છે. જોકે, વૈશ્વિક સ્તર પર આ વાયરસનો સામનો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની કેન્દ્રીય બેન્કે વ્યાજદરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. જ્યારે ચીનની કેન્દ્રીય બેન્ક તરફથી પણ વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.