ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકારે કવાયત હાથ ધરી છે. આજે ભારતનું વિશેષ વિમાન ચીનમાં રહેતા ભારતીયોને લઇ ચીનથી ભારત આવી પહોંચ્યું છે.
ચીનના વુહાનથી ભારત પહોંચી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ
ચીનનો પ્રવાસ કરી ચૂકેલા ભારતીયો ITBPના ચાવલા કેમ્પમાં 14 દિવસ દેખરેખ હેઠળ રહેશે. ITBPનો ચાવલા કેમ્પ દિલ્લી શહેરમાં જ છે જ્યાં સારવારની સુવિધા છે.
કોરોના વાઈરસના ભયને લઈને વિશેષ તકેદારી રખાઈ રહી છે. ચીનના વુહાનમાં ભારતીયો ફસાયા હતા. જ્યારે ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 258 લોકોના મોત થયા છે.
ચીનના વુહાનના શહેરથી ઉપડેલ વિમાનમાં દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના 5 ડોકટરોની ટીમ પણ ઉપસ્થિત હતી. આ સિવાય વિમાનમાં પેરા મેડિકલ સ્ટાફ પણ હતો. જેની પાસે જરૂરી દવાઓ, માસ્ક, ઓવરકોટ અને પેક કરવામાં આવેલ ભોજન હતું. આ સાથે એન્જીનિયર્સ અને સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ ફલાઇટમાં હાજર હતી.