મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધતાં રાજ્ય સરકારે 6ઠ્ઠી વખત ઘટાડી RT-PCRની કિંમત ઘટાડી છે. નવા ભાવ 500 રૂપિયાનો રહેશે.
મહારાષ્ટ્રમાં વધ્યું કોરોના સંક્રમણ
સરકારે 6ઠ્ઠી વખત ઘટાડી RT-PCRની કિંમત
હવે 800 રૂપિયાને બદલે 500 રૂપિયામાં કરાવી શકાશે ટેસ્ટ
એક વાર ફરીથી કોરોનાનું સંક્રમણ વધવાના કારણે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે કોરોનાના ટેસ્ટની કિંમતોમાં ઘટાડો કર્યો છે. હવે રાજ્યમાં સરકારે RT-PCRની કિંમત 500થી 800 રૂપિયા અને એન્ટીજન ટેસ્ટની કિંમત 150-300 રૂપિયામાં થશે. નવી કિંમતો મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી છે.
Maharashtra Govt caps the price of RT-PCR test to Rs 500 at Collection centres, Rs 600 at Covid centre, Quarantine centre or Isolation centre and Rs 800 if the sample is collected from home.
જાણો ક્યાં કેટલા રૂપિયા રહેશે કિંમત
નવી કિંમતના આધારે કલેક્શન સેન્ટર્સ પર કોરોનાની તપાસ માટે RT-PCR ટેસ્ટ કરાવો છો તો તમારે 500 રૂપિયા ભરવાના રહે છે. જ્યારે કોરોના સેન્ટર, ક્વોરન્ટાઈન સેન્ટર અને આઈસોલેશન પર કોરોનાના RT-PCRના ટેસ્ટ માટે 600 રૂપિયા આપવાના રહેશે. જો તમે ઘરે બેઠા સેમ્પલ આપો છો તો તમારે 800 રૂપિયા ભરવાના રહે છે.
મહારાષ્ટ્રમાં સરકારે 6ઠ્ઠી વખત ઘટાડી RT-PCRની કિંમત
મહારાષ્ટ્રમાં સરકારે 6ઠ્ઠી વખત કોરોનાના ટેસ્ટની કિંમતમાં ઘટાડો થયો છે. બુધવારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના વધતા કેસને લઈને આ નિર્ણય લીધો છે. જેથી વધારેને વધારે ટેસ્ટ કરાવી શકાય. મોડેથી ટેસ્ટ કરાવવાના કારણે લોકોના સંક્રમિત હોવાની આશા પહેલા કરતા વધે છે અને સંક્રમણ ફેલાય છે.
महाराष्ट्र में 39,544 नए कोविड मामले, 23,600 डिस्चार्ज और 227 मौतें दर्ज़ की गई।
कुल मामले: 28,12,980
कुल रिकवरी: 24,00,727
मृत्यु: 54649
सक्रिय मामले: 3,56,243
અહીં ફરીથી ફેલાઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં 227 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોના સંક્રમણના 39544 નવા કેસ આવ્યા છે. દરમિયાન 227 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 23600 લોકો સાજા થયા છે. અહીં કુલ આંક 28,12,980 થયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ચપેટમાં આવ્યા બાદ કુલ 54649 લોકોના મોત થયા છે.