કોરોના વાયરસની બીજી લહેર દરરોજ નવો રેકૉર્ડ બનાવી રહી છે. ઝડપથી વધતા સંક્રમણ વચ્ચે બેંગલુરૂ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ સાઇન્સ(IISC)ના એક અનુમાનમાં લગાવવામાં આવ્યું છે.
કોરોના વાયરસની બીજી લહેર
મેના અંત સુધીમાં ભારતમાં 1.4 કરોડનો આંકડો પાર કરી શકે છે કોરોના
એપ્રિલના મધ્યના સમયમાં સંક્રમણ પીક પર હોય શકે છે
IISCના અનુમાન અનુસાર, જો કોરોનાનો હાલનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો મેના અંત સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા 1.4 કરોડને પાર કરી શકે છે અને હાલ એક્ટિવ કેસ અંદાજિત 3.2 લાખ હશે.
રિસર્ચસોનું કહેવું છે કે, એપ્રિલના મધ્યના સમયમાં સંક્રમણ પીક પર હોય શકે છે જ્યારે એક્ટિવ કેસ 7,3 લાખ સુધી જઇ શકે છે. આ રિસર્ચના અનુસાર, ખરાબ હાલતમાં મેના અંત સુધી એક્ટિવ કેસની સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે. જોકે, લોકોને વેક્સિન લાગી જાય અને કોરોનાના નિયમોનું પાલન થાય તો આને રોકી શકાય છે.
IISCના પ્રોફેસર શશિકુમાર અને દીપકનું અનુમાન કોરોનાના હાલના ટ્રેન્ડ પર આધારિત છે. અનુમાન અનુસાર, એકલા કર્ણાટકમાં એપ્રિલના અંત સુધીમાં કેસોની સંખ્યા 10.7 લાખ સુધી પહોંચી શકે છે.
કોરોનાની બીજી લહેર ઘણી ઝડપથી વધી રહી છે અને દરરોજ ગત દિવસોના મુકાબલે અંદાજિત 9 હજાર વધુ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, શનિવારે 24 કલાકની અંદર દેશમાં 89,129 નવા કેસ નોંધાયા અને 714 મોત થયા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ, 23 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં કુલ 1,64,110 મોત થઇ ચૂક્યા છે. શનિવાર સુધી દેશમાં 6,58,909 કેસ એક્ટિવ છે.