સમગ્ર વિશ્વમાં મહામારી બની ચુકેલા કોરોના વાયરસની સૌથી મોટી તકલીફ એ છે કે આ રોગના લક્ષણ ઓળખવા મુશ્કેલ છે. કોવિડ ૧૯ના લક્ષણો સામાન્ય શરદી ઉધરસ જેવા જ જણાય છે પરંતુ દર્દીની હાલત વધુ બગડતા આ રોગ છે તેવી જાણ થાય છે. તો આવો જાણીએ કે કોરોના વાયરસના શરૂઆતના લક્ષણો કેવા હોય છે અને રોગ વધતા લક્ષણોમાં શું ફેરફાર થાય છે?
પહેલો દિવસ: દર્દીને ખૂબ તાવ ચઢવાનો શરુ થાય છે અને તેના શરીરનું તાપમાન વધી જાય છે. આ ઉપરાંત સુકી ખાંસી અને કફની સમસ્યા શરુ થાય છે.
થોડા દિવસોમાં દર્દીને માસપેશીઓમાં દુખાવો શરુ થઇ જાય છે અને સાંધાઓમાં દુખાવો શરુ થાય છે. થોડા કેસમાં ગળામાં સોજો પણ નોંધવામાં આવ્યો છે.
પાંચમો દિવસ: ૫માં દિવસથી દર્દીને શ્વાસને લગતી સમસ્યા શરુ થાય છે. ખાસ કરીને વૃદ્ધોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ ઉપરાંત પહેલેથી આવી બિમારીથી પીડિત લોકોમાં આ લક્ષણ વધુ હોય છે.
સાતમો દિવસ: સાતમો દિવસ આવતા આવતા દર્દીને અહેસાસ થાય છે કે હોસ્પિટલમાં દાખલ થઇ જવું જરૂરી છે. વુહાનની હોસ્પિટલના એક અહેવાલ અનુસાર મોટા ભાગના દર્દીઓ આ જ સમયે હોસ્પિટલમાં આવ્યા છે.
આઠમો દિવસ: આ સમયથી રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમને લગતી સમસ્યા શરુ થાય છે જેમાં ફેફસામાં મ્યુકસ એટલે કે ગળફા બાઝવાની શરૂઆત થાય છે.
ફેફસામાં ઓક્સિજનને બદલે મ્યુકસ વધી જવાથી શ્વાસ લેવામાં દર્દીને તકલીફ પાડવાની શરુઆત થાય છે. છાતીમાં દુખાવો પણ વધી જાય છે.
કોરોના વાયરસના લક્ષણ દેખાવામાં ૨ થી ૧૦ દિવસનો સમય લાગે છે. વાયરસનો ચેપ લાગી ગયેલા લોકો પણ બહારથી બિમાર જણાતા નથી જેથી સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે.
કેવી રીતે ધ્યાન રાખવું?
કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. તમારી આસપાસ સ્વચ્છતા જળવાયેલી તેની સંપૂર્ણ કાળજી લો. ખાંસી વખતે ટીસ્યુ પેપર મોં પર રાખો.
ઉપરાંત, સમય સમય પર સાબુથી હાથ ધોવા. WHOના જણાવ્યા મુજબ, વ્યક્તિએ ઓછામાં ઓછા 20 સેકંડ સુધી હાથને સારી રીતે ઘસીને ધોવા જોઈએ.