કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે અમેરિકામાં થયેલા સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ટીબી (ક્ષય રોગ) જેવી ગંભીર બીમારીથી બચાવ માટે નવજાત શિશુને આપવામાં આવતી બીસીજીની રસી કોરોના વાયરસ સંક્રમણમાં સુરક્ષા કવચ તરીકે સામે આવી છે.
કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે અમેરિકામાં થયેલા સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી
ભારત સહિત ઘણા દેશોમાં જન્મ બાદ નવજાત શિશુને બીસીજીની રસી આપવામાં આવે છે
આ સ્ટડી મુજબ કોરોના વાયરસના સંક્રમણ અને તેનાથી થયેલા મોતના મામલા એ દેશોમાં વધારે છે, જ્યાં બીસીજીનું રસીકરણની નીતિ છે જ નથી અથવા તો બંધ કરી દેવાઇ છે. જ્યારે જે દેશોમાં બીસીજી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, ત્યાં કોરોના વાયરસનુ સંક્રમણ અને મોતનો આંકડો અપેક્ષિત રીતે ઓછો છે.
અમેરિકા સ્થિત ઇન્ટિટ્યૂટનો અભ્યાસ
ન્યૂયોર્ક સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ સાયન્સિઝની તરફથી બીસીજી રસીકરણ વાળી વસ્તી પર કોરોના વાયરસના સંક્રમણની અસરનું વિશ્લેષણ કરવા માટે આ અભ્યાસ કરાયો. તેમા જાણવા મળ્યું કે બીસીજી ટીકાકરણ ન હોય તેવા દેશો જેવા કે ઇટલી, અમેરિકા, લેબનોન, નેધરલેન્ડ અને બેલ્ઝિયમની તુલનામાં ભારત, જાપાન, બ્રાઝિલ જેવા બીસીજી રસીકરણ વાળા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ અને તેનાથી મોતના કેસ ઓછા નોંધાયા છે. જોકે ચીનમાં પણ બીસીજી રસીકરણ પોલિસી છે પરંતુ કોરોના વાયરસની શરૂઆત ત્યાંથી જ થઇ તેથી આ સ્ટડીમાં ચીનને અપવાદ માનવામાં આવ્યું.
BCG શું છે
આ રસીનું પુરું નામ બેસિલસ કોમેટી ગુઈરેન છે. તે ટીબી અને શ્વસ સાથે જોડાયેલી બિમારીને અટકાવવામાં મદદરૂપ છે. BCG રસી જન્મ બાદ તરત જ આપવામાં આવે છે. વિશ્વમાં સૌથી પહેલા તેનો વર્ષ 1920માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રાઝીલ જેવા દેશોમાં ત્યારથી આ રસીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ભારત સહિત ઘણા દેશોમાં જન્મ બાદ નવજાત શિશુને બીસીજીની રસી આપવામાં આવે છે
ભારત સહિત ઘણા દેશોમાં જન્મ બાદ નવજાત શિશુને બીસીજી (Bacillus Calmette-Gurin)ની રસી આપવામાં આવે છે. આ ટીબી એટલે કે ક્ષય રોગ અને શ્વાસ સાથે જોડાયેલી અન્ય બીમારીઓથી રક્ષણ મળે તેના માટે આપવામાં આવે છે. વિશ્વમાં આ રસીકરણની શરૂઆત વર્ષ 1920માં થઇ હતી. બ્રાઝિલમાં ત્યારથી જ રસીકરણની શરૂઆત થઇ. જ્યારે જાપાનમાં વર્ષ 1947, ઇરાનમાં 1984માં અને ભારતમાં 1948-49માં તેની શરૂઆત થઇ. આ અનુસાર જોવામાં આવે તો રસીકરણથી પહેલાના વર્ષમાં જન્મેલી વસ્તી, જે હાલ જીવિત છે તે આ રસીથી વંચિત છે.
આ અભ્યાસમાં વિવિધ દેશોનું વિશ્લેષણ કરાયું. વૈજ્ઞાનિકોએ જોયુ કે બીસીજી રસીકરણથી ટીબી ઉપરાંત વાયરલ સંક્રમણ અને શ્વાસ સંબંધિત બીમારીઓથી લડવામાં મદદ મળે છે. એવામાં વૈજ્ઞાનિકોએ બીસીજીની રસીકરણ વાળા દેશોમાં કોરોનાનો ખતરો ઓછો હોવાની આશા વ્યક્ત કરી છે.
જ્યાં બીસીજીની રસીની શરૂઆત પહેલા થઇ ત્યા કોરોનાથી મોતના આંકડા ઓછા
વૈજ્ઞાનિકો અભ્યાસમાં જોયુ કે જ્યાં બીસીજીની રસીની શરૂઆત પહેલા થઇ ત્યા કોરોના વાયરસથી મોતના આંકડા ઓછા છે. જ્યારે ઇટાલી, અમેરિકા, સ્પેન જેવા દેશોમાં જ્યાં આવું કોઇ રસીકરણ અભિયાન નથી ચાલતુ, કોરોનાનો સૌથી વધારે ખતરો છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચીન, ઇટલી અથવા અમેરિકાની તુલનામાં ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે વ્યાપક નહીં હોય. તમામ દેશોમાં જોવા મળેલા સ્ટ્રેન એટલે કે જિનેટીક વેરિએન્ટમાં અંતર છે. ભારતમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના સ્ટ્રેનને અલગ કરવામાં ઘણા દેશોથી પહેલા સફળતા મેળવી લીધી હતી. એવું કરનાર આ દુનિયાનો પાંચમો દેશ છે. ભારતીય વૈજ્ઞાનિકોના કોરોનાના 12 નમૂનાની તપાસ કરીને જિનોમનો જે ક્રમ તૈયાર કર્યો છે, તેની પ્રાથમિક રિપોર્ટ મુજબ દેશમાં મળેલો વાયરસ સિંગલ સ્પાઇક છે. જ્યારે ચીન, અમેરિકામાં મળેલો વાયરસ ટ્રિપલ સ્પાઇક છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં ફેલાયેલો વાયરસ માણસોની કોશિકાઓને ટ્રિપલ સ્પાઇક વાળા વાયરસની અપેક્ષાએ ઓછો મજબૂતીથી પકડી શકે છે.
ભારતમાં 97 ટકા બાળકોને બીસીજીની રસી
દેશમાં આઝાદી બાદ વર્ષ 1948મા બીસીજી રસીકરણ પાયલટ પ્રોજેક્ટ રૂપે શરૂ થયો. વર્ષ 1949થી દેશભરમાં સ્કૂલોમાં આ રસી આપવામાં આવવા લાગી. ત્યારબાદ 1951થી મોટા પ્રમાણમાં રસીકરણ થવા લાગ્યું. એક્સપર્ટ્સ બતાવે છે કે ભારતમાં 97 ટકા બાળકોને બીસીજીની રસી લગાવેલી છે. જોકે, રસીકરણ અભિયાનની શરૂઆત પહેલા જન્મ લેનારી વસ્તી, જે હાલ જિવીત છે તેમને રસી લાગી નથી.
વૈજ્ઞાનિકો અનુસાર એવુ માની લેવું ઉતાવળ વાળું ગણાશે કે બીસીજીની રસી લઇ ચુકેલી વસ્તી પર કોરોના વાયરસના સંક્રમણનો કોઇ ખતરો નથી. બની શકે કે બીસીજીની રસી કોરોના વાયરસથી લાંબા સમય સુધી સુરક્ષા ન આપી શકે. એ માટે ટ્રાયલ જરૂરી છે.
આ સ્ટડી સામે આવ્યા બાદ બ્રિટેન, જર્મની અને નેધરલેન્ડે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની દેખરેખ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓને બીસીજીની રસી લગાવીને ટ્રાયલ શરૂ કરાશે. ઓસ્ટ્રેલિયાએ પણ કહ્યું કે શુક્રવારે તે 4000 સ્વાસ્થ્ય કર્મીઓને વૃદ્ધો પર બીસીજી વેક્સીનની ટ્રાયલ શરૂ કરશે. તેમાં એ જોવામાં આવશે કે શું આ રસીથી તેમની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.