હાલમાં BHUના સંશોધનમાં કોરોનાને લઈને એક વધુ ખુલાસો કરાયો છે. તેમાં કહેવાયું છે કે શારીરિક શ્રમ કરનારા શ્રમિકોના શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. જ્યારે ઓફિસમાં કામ કરનારા 6-8 ટકા લોકોમાં કોરોનાના એન્ટીબોડી જોવા મળે છે. તો સડક પર મહેનત મજૂરી કરનારાઓમાં 24 ટકા જેટલી એન્ટીબોડી જોવા મળી રહી છે. એટલે કે આ પ્રમાણ લગભગ 3 ગણું વધુ છે.
BHUના સંશોધનમાં વધુ એક ખુલાસો
મજૂરોમાં એન્ટિબોડી વધારે, વધુ પ્રમાણમાં થયા સંક્રમિત
ઓફિસમાં કામ કરનારાઓ ઓછા સંક્રમિત
આ રિસર્ચના આધારે ઓફિસવાળા વ્યક્તિઓ અન્યના સંપર્કમાં ઓછા આવવાથી તેમનમાં કોરોના ઓછો ફેલાય છે, જ્યારે ખુલ્લામાં કામ કરનારા શ્રમિકો કોરોનાથી સંક્રમિત થાય છે એટલે એન્ટિબોડી પણ વધુ જોવા મળે છે. શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા બંધ રૂમમાં કામ કરનારા 6-8 ટકા લોકોમાં કોરોના એન્ટીબોડી મળ્યા છે. જ્યારે સડક પર મજૂરી કરનારા શ્રમિકોમાં 24 ટકામાં એન્ટીબોડી મળી રહ્યા છે. પ્રોફેસરે કહ્યું કે વારાણસીમાં બે તબક્કામાં એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
એકમેકનો સંપર્ક બની રહ્યું છે મોટું કારણ
તેઓએ એમ પણ કહ્યું કે આની પાછળનું કારણ એ હોઈ શકે કે અનેક લોકો અન્ય લોકોના સંપર્કમાં આવતા નથી. તેના કારણે ન તો તેમને કોરોના થાય છે અને ન તો તેમનામાં એન્ટીબોડી બને છે. જ્યારે અન્ય વર્ગ શ્રમિક વર્ગ છે જે સડક પર વધારે સમય વીતાવે છે. એવા 24 ટકામાં એન્ટીબોડી જોવા મળ્યા છે. પ્રોફેસરે કહ્યું છે કે એન્ટીબોડી કીટ બનાવનારી કંપનીની સાથે કોલેબોરેટ કરવામાં આવ્યું હતું. તેના શોધમાં ખ્યાલ આવ્યો છે કે હર્ડ ઈમ્યુનિટીનું સ્તર અલગ અલગ જિલ્લામાં કેવું છે અને આ પ્રોસેસ હજુ પણ ચાલ રખાશે.