કેન્દ્ર સરકારે વીજળી કંપનીઓ માટે રાહત પેકેડ જારી કરી દીધું છે. 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. સાથે જ બીલ લેટ થવા પર કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.
સરકારે હવે વીજળી કંપનીઓ માટે રાહત પેકેજ જારી કરી દીધું છે
બીલ મોડું આવવા પર કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં
ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ ગ્રાહકો પાસેથી પણ લેટ ચાર્જ અથવા પેનલ્ટી લેશે નહીં
કોરોના મહામારીના કારણે સમગ્ર દેશને લૉકડાઉન જોતા સરકારે હવે વીજળી કંપનીઓ માટે રાહત પેકેજ જારી કરી દીધું છે. 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવા અને બિલ મોડું આવવા પર કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં. સરકાર તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વીજળી ગ્રાહક આવતા 3 મહિના સુધી વીજળીનું બીલ ભરવામાં સક્ષમ જોવા મળી રહ્યા નથી એટલા માટે વીજળી કંપનીઓ પાસે રોકડની કમી થઇ જશે જો કે ઊર્જા મંત્રાલયે રાહતની જાહેરાત કરી છે.
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન છે. જેના કારણે દેશમાં વેપાર લગભગ ઠપ છે. કંપનીઓને નુકસાન ઊઠાવવું પડી રહ્યું છે.
એટલા માટે સરકારે છેલ્લા 3 દિવસમાં ઘણા મોટા પગલા ભર્યા છે. સરકારે ફ્રી રાશનથી લઇને હોમ લોન, કાર લોન અને ક્રેડિટ કાર્ડ ઇએમઆઇ ભરવામાં ડિસ્કાઉન્ટ જેવી ઘણી મોટી જાહેરાત કરી છે.
ગ્રાહકોને કેવી રીતે મળશે ફાયદો
CERC (સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગુલેટરી કમિશન) વીજળી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ પર મોડો ચાર્જ સરચાર્જ વગેરે લેશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ ગ્રાહકો પાસેથી પણ લેટ ચાર્જ અથવા પેનલ્ટી લેશે નહીં.
જો તમે આ દરમિયાન બીલ ભરી શકતા નથી તો આગળ તમે એને ભરી શકો છો એની પર કોઇ એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહીં. આ તમામ પગલા દ્વારા દેશમાં 24 કલાક સાત દિવસ વીજળી ઉપલબ્ધ કરાવવાનો સરકારનો લક્ષ્ય છે.
વીજળીને લઇને સરકારની જાહેરાત
નવા નિર્ણય હેઠળ વીજળી ડિસ્ટ્રીબ્યૂટ કરનાર કંપનીઓને સરકારે છૂટ આપી છે એટલે કે કંપનીઓ વીજળી પેદા કરનાર કંપનીઓની બાકી રકમ બાદમાં ચુકાવી શકે છે. વીજળી ડિસ્ટ્રીબ્યૂશન કરનાર કંપનીઓને વીજળી મળતી રહેશે.
તેઓને તરત પૈસા ચુકવવા માટે કહેવામાં આવશે નહીં, વીજળી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓને એડવાન્સ પેમેન્ટની રકમ હવે માત્ર 50 ટકા જ આપવી પડશે. તમને જણાવી દઇએ કે દેશમાં 70 ટકા વીજળી કોલસાથી બને છે એટલા માટે કોલસાના સપ્લાયને અડચણ આવવા દેવામાં આવશે નહીં.