કોરોનાના દર્દીઓને કેટલાય મહિનાઓ સુધી વધુ પડતો થાક અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ એલર્ટ બ્રિટનની સૌથી મોટા સરકારી સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસે કોરોના દર્દીઓ માટે જારી કરી છે.
બ્રિટનની સૌથી મોટી એજન્સીએ ચેતવણી આપીઃ વાયરસ જશે તો પણ લાંબા સમય સુધી તેની અસર શરીર પર રહેશે
NHSના વિજ્ઞાનીઓનું કહેવું છે કે કોરોના વાયરસની અસર શરીર પર લાંબા સમય સુધી રહી શકે છે. કોરોનામાંથી બહાર આવ્યા બાદ શરીર પર તેની ખરાબ અસર ક્યાં સુધી રહે છે, હાલમાં તે અંગે રિસર્ચ ચાલી રહ્યું છે. મે મહિનામાં NHSના વિજ્ઞાનીઓએ કોરોનાનાં ગંભીર લક્ષણો પર ચર્ચા કરી હતી, જેમાં સ્ટ્રોક, કિડની ડીસીઝ અને અંગોની ઘટતી કાર્યક્ષમતા પર બેઠક ચાલી હતી. બેઠકમાં NHSના વિજ્ઞાનીઓનું કહેવું હતું કે કોરોનામાંથી બહાર આવ્યા બાદ એવા દર્દીઓની સંખ્યા વધુ હશે, જેઓ સામાન્ય જીવનમાં પાછા નહીં ફરી શકે.
કોરોનાના દર્દીઓને આ થેરાપીની જરૂર પડી શકે છે
NHSએ ગયા અઠવાડિયે એક એલર્ટ જારી કરીને કહ્યું હતું કે જે લોકોના શરીરમાં કોઇ પણ પ્રકારનું ડેમેજ થયું હોય તેને રિકવર કરવામાં અમે મદદ કરીશું. કોરોનામાંથી બહાર આવેલા દર્દીઓને ટ્રેકિયોસ્ટોમી વાઉન્ડ, હૃદય અને ફેફસાંનાં ડેમેજ રિપેર કરનારી થેરપી, મસલ અને સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી શકે છે. કેટલાક એવા પણ દર્દીઓ છે, જેને સોશિયલ સપોર્ટની જરૂર પડશે, આપણે આ માટે તૈયાર રહેવું પડશે.