કોરોનામાંથી સાજા થયેલા લોકોની સમસ્યા પુરી થવાનું નામ નથી લઈ રહી. આઈસીયુ અને વેન્ટિલેટર્સ પર અનેક દિવસો વિતાવી ડિસ્ટાર્જ કર્યા બાદ તેમની સમસ્યા ફરી વધી રહી છે. હોસ્પિટલોમાં એ ટ્રેન્ડ જોવા મળ્યો છે કે કોરોનાના દર્દીઓ સાજા થયી ડિસ્ટાર્જ થઈ ચૂક્યા છે. જેના એક અઠવાડિયા બાદ તેમના કોરોના સાથે જોડાયેલી અનેક સમસ્યા તેને ઘેરી લે છે. થાકને લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. જોકે આ સામાન્ય લક્ષણ છે પણ કેટલાકમાં ફેફસામાં સમસ્યા, લોહીનો જથ્થો બની જવો સ્ટ્રોક આવવો વગેરે સમસ્યા થઈ રહી છે.
નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ સમસ્યા આવી રહી છે
સ્ટ્રોક્સ, હાર્ટ એટેક્સ અને ધમનીઓમાં થક્કા જમા થવાની ફરિયાદો આવી રહી છે
સાજા થયા બાદ ઓક્સિજનની જરુર પડે છે
ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં એવી સમસ્યા સામે આવી છે કે તેમને હોસ્પિટલ દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં ડેડિકેટેડ ક્લિનિક્સ જે પોસ્ટ કોવિડ કેર આપવાથી માંડી વોટ્સએપ ગ્રુપ બનવા સુધીનો સમાવેશ થાય છે. આ ગ્રુપ્સમાં ડૉક્ટર્સ અને દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાં મોનિટરિંગ અને ફિડબેક પ્રોસેસ સારી થઈ રહી છે.
હાલમાં જ નોઈડાની એક હોસ્પિટલને ત્યારે એલર્ટ કરવામાં આવી જ્યારે ડિસ્ચાર્જ દર્દીને ઓક્સિજન લેવલમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેને શ્વાસ લેવામાં સમસ્યા ઉભી થઈ હતી. તેને હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યો હતો. જેને ફેફસામાં ઈન્ફેક્શન હતું અને ઓક્સિજન સેચુરેશન લેવલ ઓછું હતુ. આ હાલત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હતો.
દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના સીનિયર ચેસ્ટ ફિજિશિયન ડૉ. અરુપ બસુના જણાવ્યાનુંસાર કોરોનાથી ફેફસાને નુકસાન પહોંચાડે છે. ઈન્ફેક્શન ખતમ થાય પછી પણ નુકશાન થાય છે. સાજા થયા બાદ ઓક્સિજનની જરુર પડે છે. કેટલાક કેસમાં દર્દીને આઈસીયુમાં દાખલ કરવાની જરુર પડી હતી.
ડોક્ટર્સને ડર છે કે કોરોનાને લીધે મોટી સંખ્યામાં લોકોના સાજા થયા બાદ ફેફસા ખરાબ થઈ રહ્યા છે. જેમને સાજા કરવા મુશ્કેલ છે. દર્દીઓને અન્ય બિમારી જેવી કે ડાયબિટીશ હોય તો તેને નોર્મલ કરી શકવા ખુબ મુશ્કેલ છે.
ડોક્ટર અંબરીશ મિત્તલના કહેવા પ્રમાણે દર્દીઓને વાયરસમાંથી તો નીકળી ગયા પણ તેમને સ્ટેબલ કરવા ખૂબ મુશ્કેલ છે. તેમની ખાસ સારવાર કરવાની જરુર છે. ચેન્નાઈ હોસ્પિટલમાં આવા દર્દીઓ કે જે કોરોનામાંથી સાજા થઈ ગયા હોય પણ તેમને સ્ટ્રોક્સ, હાર્ટ એટેક્સ અને ધમનીઓમાં થક્કા જમા થવાની ફરિયાદો આવી રહી છે.