દેશમાં કોરોના વાઈરસનાં સંક્રમણને રોકવા માટે હવે વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનમાં રેલવે તરફથી બ્લેન્કેટ નહીં મળે. વેસ્ટર્ન રેલવેના પીઆરઓ મુજબ, એસી કોચમાં મુસાફરી કરનારા મુસાફરોને બ્લેન્કેટ આપવાનું બંધ કરાયું છે. જેથી હવે પછી મુસાફરોએ એસી કોચમાં પ્રવાસ કરવો હશે તો ઘેરથી પોતાનું ઓઢવાનું લઈને જવું પડશે. અને પ્લેટફોર્મ ટીકીટ 10 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયાની મળશે.
કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે અને રેલ્વે સ્ટેશન પર ભીડ ઓછી કરવા માટે રેલ્વેએ મોટો નિર્ણય કર્યો છે. અને દેશના 250થી વધારે રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટ 10 રૂપિયાથી વધીને 50 રૂપિયા કરી દીધી છે. અને મુંબઈ, અમદાવાદ, રતલામ, રાજકોટ, ભાવનગર વગેરે આ નિયમ લાગુ કરી દીધો છે.
આ પહેલા રતલામમાં ટ્રેનોમાં એસી કોચનું તાપમાન 25 ડીગ્રી સેલ્સિયસ રાખવા માટેનો આદેશ કર્યો છે. જેથી મુસાફરોને બ્લેનકેટની જરૂર નહિ પડે. રેલ્વેના આદેશ અનુસાર ઈંદોર સ્ટેશન પર આવતી જતી ટ્રેનમાં એસી કોચમાં પડદા અને બ્લેન્કેટ બંને હટાવી દેવામાં આવ્યા છે. અને મુસાફરોને માત્ર તકિયા અને ચાદર જ આપવામાં આવે છે.
જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અને 130થી વધુ કેસ નોંધાયા છે. અને કોરોના વાયરસ દેશના 15 રાજ્યોમાં પહોચી ગયો છે.
દેશમાં કોરોના વાઈરસનાં સંક્રમણને રોકવા માટે હવે વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનમાં રેલવે તરફથી બ્લેન્કેટ નહીં મળે. વેસ્ટર્ન રેલવેના પીઆરઓ મુજબ, એસી કોચમાં મુસાફરી કરનારા મુસાફરોને બ્લેન્કેટ આપવાનું બંધ કરાયું છે. જેથી હવે પછી મુસાફરોએ એસી કોચમાં પ્રવાસ કરવો હશે તો ઘેરથી પોતાનું ઓઢવાનું લઈને જવું પડશે.
એટલું જ નહીં એસી કોચમાંથી હવે પરદાઓ પણ કાઢી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જ પ્રમાણે હવે ખાનગી લકઝરી બસો એસી વોલ્વો એસટી બસોમાંથી પણ પરદા ઉતારી લેવાશે. એસટી બસોમાં થોડા થોડા સમયે હેન્ડલ સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. બસોની સફાઈ જંતુનાશક દવાઓ સાથે કરવામાં આવી રહી છે.
કોરોના વાઈરસને ફેલાવવાથી રોકવા રેલવેએ આ નિર્ણય લીધો છે. રેલવે તંત્રનું માનવું છે કે બ્લેન્કેટની રોજેરોજ સફાઈ નથી થઈ શકતી, એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ પ્રવાસ દરમિયાન પોતાના માટે બ્લેન્કેટ ઘરેથી લઈને આવે.વેસ્ટર્ન રેલવેના પીઆરઓ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, એસી કોચમાં આપવામાં આવતા બ્લેન્કેટની રોજેરોજ સફાઈ નથી થતી. તેથી મુસાફરો પોતાનાં બ્લેન્કેટ લઈને પ્રવાસ કરે.
આ ઉપરાંત સંક્રમણને રોકવા માટે એસીના દરેક કોચમાંથી થોડાક દિવસ માટે પરદા હટાવી દેવામાં આવ્યા છે. મેન્ટેનન્સ દરમિયાન તમામ ઈએમયુ અને ડેમુ કોચોમાં જંતુનાશક દવાનો છંટકાવ થઇ રહ્યો છે. સ્ટેશનો પર લાગેલી બેન્ચ અને ખુરશીઓ, વૉશ બેસિન, બાથરૂમ ડૉર, નૉબ્સ વગેરે જંતુનાશક સ્પ્રે કરવામાં આવી રહ્યાં છે. આ જ પ્રમાણે બસમાં પણ સ્વછતાને લઈને તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. એસટી ડેપો પર વારંવાર જંતુનાશક દવાઓનો છંટ્કાવ થઇ રહ્યો છે.