દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. વધારે ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કિટની જરુર છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સલિંગ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને જે રેપિડ ટેસ્ટિંગ કિટ વેચવામાં આવી છે. તે ઘણી મોંઘી છે. જેના પર અનેક સવાલો સાથે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલામાં સરકારને સવાલ કર્યો છે.
રેપિડ ટેસ્ટિંગ કિટના ભાવ પર રાહુલની ટ્વીટ
નફાખોરી કરનારને દેશ માફ નહીં કરેઃ રાહુલ
વેચાણકાર અને આયાતકર્તાના વિવાદ વચ્ચે નફાખોરીનો પર્દાફાર્શ થયો છે
સોમવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે જ્યારે સમગ્ર દેશ કોરોના વાયરસના સંકટ સામે લડી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો ફાયદો કમાવથી પાછળ નથી હટી રહ્યા. આ ભ્રષ્ટ માનસિકતા પર શરમ આવે છે. ઘ્રૃણા થાય છે.
રાહુલ ગાંધીએ લખ્યુ તે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાસે માંગ કરીએ છીએ કે આ નફાખોરો સામે ઝડપી અને કડક પગલા ભરવામાં આવે. દેશ તેમને માફ નહીં કરે.
जब समूचा देश #Covid19 आपदा से लड़ रहा है, तब भी कुछ लोग अनुचित मुनाफ़ा कमाने से नहीं चूकते। इस भ्रष्ट मानसिकता पे शर्म आती है, घिन आती है। हम PM से माँग करते हैं कि इन मुनाफ़ाख़ोरों पर जल्द ही कड़ी कार्यवाही की जाए।देश उन्हें कभी माफ़ नहीं करेगा। https://t.co/t7Ff3KQM96
કિટને લઈને વેચાણકાર અને આયાતકર્તા વચ્ચેના વિવાદમાં આ સમગ્ર નફાખોરી સામે આવી છે. હકિકતમાં ICMRએ પણ આ માટે ફંડ રોકી દીધુ છે. ટેસ્ટ કિટ ICMRના માપદંડ પ્રમાણે ન હોવાથી તેનાથી રેપિડ ટેસ્ટ નથી કરી શકાતો. બીજી તરફ પ્રોડક્શન કંપની વોન્ડોનો દાવો છે કે કિટમાં કોઈ ખામી નથી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ નાજમી વજીરીની સિંગલ બેંચે આની કિંમત 33 ટકા ઘટાડી પ્રતિ ટેસ્ટ કિટ રુ. 400માં વેચવાનો આદેશ આપ્યો છે. આ કિંમતે વિતરકોને 61 ટકા ફાયદો મળશે. જેને હાઈકોર્ટે પુરતો ગણાવ્યો છે.