કોરોના વાયરસની સટીક દવા શોધવાને લઇને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો મહેનત કરી રહ્યા છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાદ હવે વધુ એક દવાની ચર્ચા થઇ રહી છે. યુનિવર્સિટી ઑફ શિકાગો મેડિસિનના શોધકર્તાઓનું કહેવું છે કે કોવિડ 19ના 125 દર્દિઓને રેમડેસિવીર દવા આપ્યા બાદ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે. દવાની શરૂઆતની સફળતાને જોતા આની માંગ પણ વધી ગઇ છે.
રેમડેસિવીર દવાનો ઉપયોગ ઉબોલાની સારવારમાં કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકાની બાયોટેક્નોલૉજી કંપની Gilead Sciences દ્વારા રેમડેસિંવીર દવાનુ ક્લીનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આને પ્રાયોગિક દવા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોરોના વાયરસની પ્રામાણિક દવા અત્યાર સુધી બની નથી. દુનિયાભરમાં આ મહામારીથી બિમાર અને મૃત્યુ પામનારાઓના આંકડા વધી રહ્યા છે. તેવામાં રેમડેસિવીર કોવિડ 19 સંક્રમણની સારવારમાં કારગર માનાવવામાં આવી રહી છે. આ દવા પર અમેરિકા હેલ્થ ન્યૂઝ વેબસાઇટ Statના રિપોર્ટ દ્વારા જણાવાયેલ નિષ્કર્ણ આશાજનક છે, પરંતુ આ ક્લીનિકલ પરીક્ષણ ડેટા પર આધારિત નથી.
Stat અનુસાર, શિકાગો વિશ્વવિદ્યાલયમાં કોવિડ 19ની સારવાર કરી રહેલા 125 દર્દીઓને બે તબક્કામાં 3 ક્લીનિકલ પરીક્ષણમાં ભાગ લીધો. આ પરીક્ષણનું આયોજન Gilead દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 113 દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણ હતા. Statનું કહેવું છે કે પરીક્ષણનું વીડિયો રેકોર્ડિંગ તેમની પાસે છે. આ વીડિયોમાં શિકાગો વિશ્વ વિદ્યાલયના સભ્ય એકબીજા સાથે ચર્ચા કરતાજોવા મળી રહ્યા છે, જેમાં એક ફિઝિશિયનનું કહેવું છે કે રેમડેસિવીર દવા લીધા બાદ કેટલાક લોકોનો તાવ ઓછો થયો અને કેટલાક લોકોનું વેન્ટિલેટર હટાવી લીધું.
રેમડેસિવીરનું પરીક્ષણ તે 2400 લોકો પર કરવામાં આવી રહ્યું છે, જેમાં કોરોનાના ગંભીર લક્ષણ છે જ્યારે બીજુ પરીક્ષણ 1600 દર્દીઓ પર કરવામાં આવી રહ્યું છે જેમાં કોરોનાના સામાન્ય લક્ષણ છે. આ બન્ને પરીક્ષણ દુનિયા ભરમાં કેટલીક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યા છે. ClinicalTrials.gov અનુસાર, આ બન્ને પરીક્ષણ માર્ચમાં શરૂ થવાના હતા અને આશા છે કે મે સુધી આને પૂર્ણ કરી લેવામાં આવશે.