ગુજરાતમાં કોરોના વાયરસના નવા 46 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને લઇને રાજ્યમાં કોરનાના દર્દીઓની સંખ્યા વધીને 308 પર પહોંચી ગઇ છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો આજરોજ નવા 11 કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરવાને લઇને કાર્યાવાહી હાથ ધરી છે. ત્યારે રામોલ પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશન ટનલ બનાવામાં આવી છે.
કોરોના સંકટ વચ્ચે રામોલ પોલીસ સ્ટેશનની અનોખી પહેલ
પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવી સેનેટાઇઝેશન ટનલ
રાજ્યના એકમાત્ર પોલીસ સ્ટેશનમાં બનાવાઇ ટનલ
કોરોનાના વધતા કહેરને લઇને અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં અનોખી પહેલ શરૂ કરવામાં આવે છે. શહેરના પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશનમાં ટનલ બનાવામાં આવી છે. આમ સરકાર દ્વારા લોકોહિત અને પોલીસની સુરક્ષાને લઇને પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશન ટનલ બનાવામાં આવી છે.
આમ અમદાવાદ શહેરમાં રાજ્યની એકમાત્ર પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશન ટનલ બનાવામાં આવી છે. જેનાથી પોલીસ કર્મચારી અને ફરિયાદી કોરોના વાયરસથી બચી શકશે.
બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોના માહામારીને લઇને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકો બિન જરૂરી બહાર નીકળી રહ્યાં છે ત્યારે અમદાવાદના બફર ઝોનમાં ફરતા લોકોને પોલીસે પાઠ ભણાવ્યો છે. ખોટા કારણો બતાવી લોકો બહાર નીકળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં 46 નવા કેસ નોંધાયા છે અને 2નાં મોત નિપજ્યાં છે. જ્યારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ 308 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ગઇકાલ સાંજથી અત્યારે સવાર સુધીમાં અમદાવાદમાં 11, વડોદરામાં 17, રાજકોટમાં 5, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કે