કોરોનાને કારણે હાલ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો માટે ઘરે સમય પસાર કરવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે, પરંતુ આ બધાંની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું- દૂરદર્શન પર ફરીવાર રામાનંદ સાગરની સીરિયલ રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવશે.
કોરોનાના કહેરથી સમગ્ર દેશ મુશ્કેલીમાં
લોકોને સમય પસાર કરવામાં થઈ રહી છે મુશ્કેલી
ત્યારે લોકોના મનોરંજન માટે દૂરદર્શન આ શો ફરી પ્રસારિત કરશે
ફરી જોઈ શકાશે રામાનંદ સાગરની રામાયણ
પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને લોકોને આ ખુશીના સમાચાર આપ્યા છે. તેમણે લખ્યું- જનતાની માંગ પર શનિવાર 28 માર્ચથી 'રામાયણ'નું દૂરદર્શન પર ફરી પ્રસારણ શરૂ કરવામાં આવશે. પહેલો એપિસોડ સવારે 9 વાગ્યે અને બીજો એપિસોડ રાતે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.
जनता की मांग पर कल शनिवार 28 मार्च से 'रामायण' का प्रसारण पुनः दूरदर्शन के नेशनल चैनल पर शुरू होगा। पहला एपिसोड सुबह 9.00 बजे और दूसरा एपिसोड रात 9.00 बजे होगा । @narendramodi
@PIBIndia@DDNational
હવે સરકારને આ વાત પર મહોર લગાવી દીધી છે. રામાનંદ સાગરની રામાયણ દરેક રીતે ઐlતિહાસિક હતી. શોનું દરેક પાત્ર અમર થઈ ગયું હતું. લોકોએ આ શોને એટલો પ્રેમ આપ્યો કે આ પછી ઘણીવાર રામાયણ બનાવવામાં આવી, પરંતુ એવો અનુભવ ન થયો જેવો રામાનંદ સાગરની રામાયણ જોઈને થયો હતો.
રામાનંદ સાગરનું રામાયણ ઐતિહાસિક છે
રસ્તાઓ ખાલી થઈ જવા, ટીવીની સામે બેઠા રહેવું, આ બધું આ સીરિયલના કારણે જોવા મળ્યું હતું. હવે જ્યારે કોરોનાને કારણે આખો દેશ લોકડાઉન હેઠળ છે અને ઘરની બહાર જવાની મનાઈ છે, ત્યારે રામાનંદ સાગરની રામાયણ એક ચુંબક તરીકે કામ કરશે જે લોકોને ઘરે ખુશખુશાલ રહેવામાં મદદ કરશે.
તમને જણાવી દઈએ કે, રામાનંદ સાગરની રામાયણમાં અરૂણ ગોવિલ, દીપિકા ચિખલીયા, સુનીલ લહરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની એક્ટિંગ એવી હતી કે વાસ્તવિક જીવનમાં પણ તેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો.