ગુજરાતમાં જ્યાં એક બાજુ કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાંથી કોરોનાને લઇને રાહતના સમાચાર આવ્યાં છે. ગઇકાલે પોલીસકર્મી તેમજ મનપાના અધિકારીઓને લેવામાં આવ્યાં હતાં. જેમાં પોલીસકર્મી તેમજ મનપાના તમામ અધિકારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
રાજકોટથી કોરોનાને લઈને રાહતના સમાચાર
પોલીસકર્મી, અધિકારીઓના તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ
283 લોકોના રિપોર્ટ કરાતા આવ્યા નેગેટિવ
રાજ્યમાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહેલી છે તેની વચ્ચે રાજકોટમાંથી કોરોનાને લઇને સૌથી મોટા રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
શહેરમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે, જેમાં 283 પોલીસ, મીડિયા અને મનાપાના કર્મીઓના રિપોર્ટ કરાયા હતા. કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારના આગેવાન સંક્રમિત થતા તમામ લોકોના રિપોર્ટ કરાયા હતા. ત્યારે આજે રિપોર્ટ નેગેટિવ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
રાજકોટના સંયુક્ત CP અહેમદ ખુર્શીદનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે કોરોના વાયરસને લઇને ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના સંયુક્ત CP અહેમદ ખુર્શીદનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અહેમદ ખુર્શીદનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જંગલેશ્વરના આગેવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને ગઇકાલે પોલીસ-મનપા અધિકારીઓના સેમ્પલ લેવાયાં હતા. આ સાથે મીડિયાકર્મીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.