ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ તેમજ મૃત્યુંદરનો આંકડો સતત વધી રહ્યો હતો. જો કે હવે થોડા દિવસથી રાહત જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે.
રાજકોટ માટે કોરોનાને લઇ સારા સમાચાર
છેલ્લા 10 દિવસથી કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો
કોવિડ હોસ્પિટલોમાં મૃત્યાઆંક જઇ રહ્યો છે નીચો
રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો સામે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 12 દર્દીના મૃત્યું થયા છે. સરકાર દ્વારા આપવામાં આવી રહેલા આંકડામાં મૃત્યુદર ઘટયો છે.
છેલ્લા 10 દિવસના મૃત્યુંના આંકડા
25 સપ્ટેમ્બર - 12 દર્દી
24 સપ્ટેમ્બર - 16 દર્દી
23ના જિલ્લામાં 17 દર્દીઓના મોત
22ના 19 દર્દીના જિલ્લામાં મોત
21ના જિલ્લામાં 21 મોત
20ના જિલ્લામાં ૨૧ મોત થયા
19ના રાજકોટ જિલ્લામાં 23 મોત
18ના જિલ્લામાં 25 મોત
17ના રાજકોટ જિલ્લામાં 31 મોત
16ના 26 મોત... જેમાંથી ગ્રામીણ ૪, અન્ય જિલ્લાના 2 દર્દીના મોત
15ના ૩૯ મોત.. ગ્રામીણના ૩, અન્ય જિલ્લાના ૫ મોત
14ના ૩૧ મોત..ગ્રામીણના ૪,અન્ય જિલ્લાના ૩ દર્દીના મોત