ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિતોના નામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે રાજકોટ મનપા દ્વારા હવે કોરોના સંક્રમિતોના નામ જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
રાજકોટમાં કોરોના સંક્રમિતોના નામ નહીં થાય જાહેર
રાજકોટ મનપા દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
રાજકોટ મનપાના નિર્ણયોનો કોંગ્રેસ કરશે વિરોધ
રાજકોટમાં કોરોના સંક્રમિતોના નામ જાહેર ન કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ મનપાએ કહ્યું કે નામ જાહેર થવાથી પ્રાઇવસી સાથે ચેડા થાય છે. જેના કારણે કોરોના સંક્રમિતોના નામ જાહેર નહીં કરવામાં આવે.
રાજકોટ મનપાના આ નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરશે. કોંગ્રેસે કહ્યું કે કોરોનાના દર્દીઓના નામ જાહેર થવા જોઇએ. જેનાથી લોકોને જાણ થાય કે તેઓ તેમના સંપર્કમાં આવ્યા છે કે નહીં.
રાજકોટમાં કોરોના દર્દીનુ લિસ્ટ જાહેર કરવાનુ બંધ કરવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો. RMCના વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.
કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરવામાં આવતા વિરોધ થયો છે. આજે કોંગ્રેસ આવેદન આપીને આ અંગે વિરોધ કરશે. આ અંગે સાગઠિયાએ જણાવ્યુ હતું તે વિસ્તાર પ્રમાણે નામ સાથે લિસ્ટ જાહેર કરવું જોઈએ.