રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે વધુ એક ઇંજેકશન કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં રેમડેસિવીર બાદ કોવીફોર ઇંજેકશન કૌભાડ ઝડપાયું છે. આ કૌભાંડ મામલે થીયોસ ફાર્માસ્યુટિકના સંચાલન સચિન પટેલની અટકાયત કરવામાં આવી છે. હોસ્પિટલના નામના ખોટા બિલ બનાવી ઇંજેકશન વેચ્યાં હોવાનો આરોપ છે.
રાજકોટમાં મહામારી વચ્ચે વધુ એક ઇન્જેક્શન કૌભાંડ
રેમડેસિવીર બાદ કોવીફોર ઇન્જેક્શનનું કૌભાંડ
થીયોસ ફાર્માસ્યુટિકનાં સંચાલક સચિન પટેલની અટકાયત
ઝાયડ્સ સૌરાષ્ટ્ર ઝોનના MR રજનીકાંત ફળદુની અટકાયત
રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે વધુ એક ઇંજેકશન કૌભાંડ ઝડપાયું છે. શહેરમાં આ અગાઉ રેમડેસિવીર ઇંજેકશન કૌભાંડ સામે આવ્યું હતું. જો કે આ વખતે હોસ્પિટલના નામના ખોટા બિલ બનાવી કોવીફોર ઇંજેકશન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
જો કે આ મામલે થીયોસ ફાર્માસ્યૂટિકલના સંચાલક સચિન પટેલ અને ઝાયડસ સૌરાષ્ટ્રના ઝોનના MR રજનીકાંત ફળદુની અટકાયત કરવામાં આવી છે. થીયોસ ફાર્માસ્યૂટિકલે 110 ઇંજેકશનનું ખોટુ બિલ બનાવ્યું છે.
આમ 4.54 લાખના 110 ઇંજેકશનના ખોટા બિલ ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગમાં ખોટા બિલ રજૂ કરવામાં આવ્યાં હતા. આ ઇંજેકશન કૌભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રેમડેસીવર ઇંજેકશન કૌભાંડમાં 5 ઝડપાયા હતા. વેદાંત હોસ્પિટલના નામથી ખોટા બિલ બનાવામાં આવ્યાં હતા.
સળગતા સવાલ
મહામારીમાં ઈન્જેકશનને કમાણીનું સાધન બનાવનાર સામે સરકારનો અંકુશ કેમ નહી?
લોકો મરતા રહેશે અને ઈન્જેક્શનની કાળા બજારી થતી રહેશે તો કેમ ચાલશે?
રેમડેસિવીર મોંઘી કિંમતે વેચીને નફો કરનારા તો ઝડપાયા પણ ખોટા બિલ બનાવનારા સામે એક્શન ક્યારે?
110 ઈન્જેક્શનના 4.54 લાખના ખોટા બિલ રજૂ કરીને કેટલા રૂપિયાની કાળાબજારી કરી?
એક તરફ લોકો કોરોનાથી મરી રહ્યા છે ત્યારે લોકોના જીવ સાથે ચેડા કરનારાને જેલ હવાલે ન કરવા જોઈએ?
થીયોસ ફાર્માસ્યુટિકલે સામે કડક કાર્યવાહી ન થવી જોઈએ?