ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ મહામારીને રોકવા માટે રાજ્યમાં લોકડાઉન સહિત આ મહામારી સામેનું જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવા તેને લઇને પણ તંત્ર હવે એકશનમાં જોવા મળી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ડીડીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં કોઇએ પણ માસ્ક પહેર્યાં વગર ન નીકળવું.
રાજકોટ જિલ્લામાં માસ્ક વગર નીકળ્યા તો થશે કાર્યવાહી
રાજકોટ DDOએ લીધો મહત્વનો નિર્ણય
ધંધાદારી અને ફેરિયાઓ માટે માસ્ક ફરજિયાત
કોરોના વાયરસના કારણે રાજકોટ જિલ્લામાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ જો તમે રાજકોટ જિલ્લામાં માસ્ક વગર નીકળ્યાં તો હવે કડક કાર્યવાહી થશે. જિલ્લાના DDOએ આ અંગેનો મહત્વનો નિર્ણય લીધો છે.
DDO એ લીધેલા નિર્ણય મુજબ જિલ્લામાં ધંધાદારી અને ફેરિયાઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા 33 હજાર માસ્ક બનાવવામાં આવ્યા છે. આ સાથે જણાવામાં આવ્યું છે કે નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી થશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી તંત્ર હવે કડક અમલવારી કરી રહી છે. ગઇકાલે શહેરમાં કોરનાના એક જ દિવસમાં 7 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને તંત્ર હરકતમાં આવી ગયું છે. જેમાં તંત્ર દ્વારા ઘરેઘરે જઇને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.