ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના મહામારીથી થઇ રહેલા દર્દીઓના મૃત્યુઆંકને લઇને રાજ્યમાં વારંવાર સવાલો ઉઠી રહ્યાં છે. રાજ્યમાં અનેક શહેરોનો મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો હોવાના તંત્ર પર આક્ષેપ લાગી રહ્યાં છે. થોડા સમય પહેલા સુરત શહેરમાં તંત્ર પર મૃત્યુઆંક છુપાવામાં આવી રહ્યા હોય તેવો આક્ષેપ લાગ્ય બાદ હવે રાજકોટમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય દ્વારા જ શહેરમાં કોરોના મૃત્યુઆંક છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં કોરોના મૃત્યુઆંક છુપાવવાનો થયો આક્ષેપ
જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યએ જ લગાવ્યા આક્ષેપ
કારોબારી સમિતિના ચેરમેને જ લગાવ્યા ગંભીર આક્ષેપ
ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના મૃત્યુદરને લઇને વારંવાર તંત્ર કઠેરામાં જોવા મળે છે. તંત્ર પર કોરોનાનો સાચો મૃત્યુઆંક છુપાવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. રાજ્યમાં સુરત બાદ રાજકોટમાં કોરોના મૃત્યુઆંકને લઇને તંત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજકોટમાં કોરોના મૃત્યુઆંક છુપાવવાતા હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય કે. પી. પાદરીયાએ લગાવ્યો છે. પાદરીયાએ આરોગ્ય વિભાગ પર પણ ગંભીર આક્ષેપ કરતા તેમની કામગીરી પર સવાલો ઉભા કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ કોઇનું સાંભળતા ન હોવાની સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં ગામોની શાળામાં બેડની વ્યવસ્થા કરવા માંગણી કરી છે.
થોડા દિવસ પહેલા સુરતમાં કોરોનાથી મૃત્યુના આંકડાને લઇને વિવાદ સર્જાયો હતો. શહેરમાં સ્મશાનની યાદી અને મનપાના મૃત્યુઆંકમાં પણ ફેરફાર છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ સાડા ત્રણ મહિનામાં 625 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જ્યારે સ્મશાનની યાદી મુજબ 625 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે મનપાની યાદીમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 195નો હતો. આ સાથે સુરત મનપાની યાદી અને સરકારની યાદીના આંકડાઓમાં તફાવત જોવા મળ્યો હતો. સરકાર મૃત્યુઆંક છુપાવતી હોવાની લોકોમાં ચર્ચા જાગી હતી.