કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેરના કેટલાંક વિસ્તારોમાં કર્ફ્યું લગાવામાં આવ્યો છે. રાજકોટ શહેરના જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં આજથી કર્ફ્યું લગાવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાંથી અત્યાર સુધી કોરોનના 20 કેસ નોંધાયા છે.
રાજકોટના જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં કર્ફ્યું
જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યૂ છતાં ભાગી રહ્યાં છે લોકો
જંગલેશ્વર વિસ્તારમાં ઘોડા સાથે પોલીસની ફ્લેગ માર્ચ
જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યૂ છતાં ભાગી રહ્યાં છે લોકો
કોરોના વાયરસના વધતા કહેરને લઇ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં લોકો ભાગી રહ્યાં છે. જંગલેશ્વર વિસ્તારના પાછળના ભાગે નદીનો પટ છે અને નદીના પટમાંથી જંગલેશ્વર વિસ્તારના કેટલાક લોકો ફરાર થઇ ગયા છે. કોરોનાના ભયથી લોકો જંગલેશ્વર વિસ્તાર છોડી રહ્યાં છે. લોકો વિસ્તાર છોડી રહ્યાં હોવાથી નદીનો પટ સીલ કરવામાં આવ્યો છે. આજી નદીના પટમાંથી લોકો બહાર ન ભાગે તે માટે સીલ કરવામાં આવ્યો છે.
જંગલેશ્વર વિસ્તારમાં ઘોડા સાથે પોલીસની ફ્લેગ માર્ચ
રાજકોટન જંગલેશ્વર વિસ્તારમાં જાહેરા કરાયેલા કર્ફ્યું લઇને પોલીસે કવાયત હાથ ધરી છે. આ વિસ્તારમાં કર્ફ્યું હોવા છતાં લોકો નદીના પટમાંથી જંગલેશ્વર વિસ્તારના કેટલાક લોકો ફરાર થયા હોવાના અહેવાલ મળતાં પોલીસ દ્વારા ઘોડા પર સવાર થઇને પોલીસે પેટ્રોલિંગ કર્યું. રાજકોટ શહેરના 31માંથી 21 પોઝિટિવ કેસ માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી સામે આવ્યાં છે.
રાજકોટના બે વિસ્તારોમાં આજથી કર્ફ્યૂ
કોરોના વાયરસના વધતા ખતરાને લઇને રાજકોટના બે વિસ્તારોમાં આજથી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. રાજકોટના જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં કર્ફ્યૂ લાગૂ કરાયું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ રહેશે.
આ વિસ્તારમાં વસ્તીગીચતા અને કોરોના દર્દીની સંખ્યા વધારે છે. જંગલેશ્વરમાં અત્યાર સુધી કોરોનાના 20 કેસ નોંધાયા છે. જંગલેશ્વર વિસ્તારમાં આજથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. 3 SRPની કંપનીઓ અને 8 ઘોડેસવાર જવાન પેટ્રોલિંગ કરશે.