રાજકોટ જિલ્લામાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના કેસને ડામવા ટેસ્ટિંગની પ્રક્રિયાને વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ મિટીંગમાં સિવિલના તબીબોને ખખડાવ્યાં છે. CM રૂપાણીએ ICUમાં 2 વખત મુલાકાત લેવા સૂચના આપી છે.
CM રૂપાણીએ રાજકોટ સિવિલના તબીબોને ખખડાવ્યા
ICUમાં બેદરકારી બદલ સિનિયર તબીબોને ખખડાવ્યા
ICUમાં દિવસમાં 2 વખત મુલાકાત લેવા આપી સૂચના
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજકોટ સિવિલના તબીબો સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી હતી. જેમાં હાલમાં જિલ્લા તેમજ શહેરમાં કોરોનાના વધતા કહેર સામે નારાજગી વ્યક્ત કરી હતી. CM રૂપાણીએ સિવિલના તબીબોને ખખડાવ્યાં હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુદરનો આંકડો વધારે સામે આવી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ સિવિલના તબીબોને ICUમાં બે વખત મુલાકાત લેવા સુચના આપી છે. તેમજ ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થવા જોઇએ તેમ પણ જણાવ્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાહ રાજકોટ જિલ્લામાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એક અહેવાલ મુજબ આજે પણ રાજકોટમાં 27 કોરોના દર્દીઓના મૃત્યું થયા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 22 અને ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીના મૃત્યું થયા છે.