દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે વિપક્ષ તરફથી સતત અવાજ ઉઠાવામાં આવી રહ્યો છે કે ગરીબો માટે આર્થિક મદદને લઇને જાહેરાત કરવી જોઇએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે આજે પત્રકાર પરીષદ યોજીને જણાવ્યું કે આપણે એક ગંભીર સ્થિતિમાં છે, બધા રાજકીય પક્ષોએ એક સાથે આગળ આવવું જોઇએ.
કોરોનાથી લડવા માટે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને બે સુચન કર્યાં છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોરોનાને હરાવવા માટે આપણે બે સ્તર પર કામ કરવું જોઇએ. પહેલું કામ અર્થવ્યવસ્થા અને બીજુ મેડિકલ. રાહુલે મોદી સરકારને કેરળના વાયનાડ મોડલને અપનાવવાની સલાહ આપી.
રાહુલ ગાંધીએ મોદી સરકારને સુચન કરતાં કહ્યું કે આપણે અર્થવ્યવસ્થાના સ્તર પર તૈયાર રહેવું જોઇએ. ગરીબોની સામે અનાજનું સંકટ આવાનાર છે. જેને લઇને તેઓને અનાજ પહોંચાંડવાનું કાર્ય કરવું જોઇએ. બેરોજગારી વધી રહી છે, તેનું સમાધાન શોધવું જોઇએ.
I disagree with Narendra Modi with a lot of issues but now is not the time to fight. Unite and fight the virus: Rahul Gandhi pic.twitter.com/PDB8GqQ1XO
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાને સામેની જંગ જો જીતવી હોય તો ટેસ્ટિંગની સંખ્યા વધારવી પડશે. રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારને અપીલ કરતાં કહ્યું કે સરકારે ટેસ્ટિંગને લઇને રણનીતિ બનાવી જોઇએ, જેના કારણે કોઇપણ જગ્યાએ કોરોના પીડિત વ્યક્તિ ના રહે.
If you want to fight the virus, you've to increase the testing dramatically & your testing has to go from chasing the virus to moving ahead of it. You've to move to random testing and pre-empt where the virus is moving: Congress leader Rahul Gandhi #Coronavirushttps://t.co/YWG4PJEoSKpic.twitter.com/9t2hOA1wgm