ચીનના વુહાન શહેરમાંથી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસનું સંકટ હજુ પણ ભારતમાંથી ટળ્યું નથી. પરંતુ સરકારે લોકડાઉનને ઘણી હદ સુધી માત્ર કન્ટેનમેન્ટ ઝોન સુધી સીમિત રાખી દીધું, અને દેશ અનલોક મોડમાં પહોંચી ગયો છે. સરકારના આ નિર્ણયનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ વિશેષજ્ઞોના મતે પણ આ સ્થિતિમાં આ પગલાંને ખોટો ગણાવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પહેલા લોકડાઉનનો વિરોધ કરતાં રહ્યાં હતાં અને હવે અનલોકના પગલાનો વિરોધ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ ફરી એકવાર લોકડાઉનને ગણાવ્યું અસફળ
કોરોનાના વધતાં કેસનો લઇને સરકાર પર કર્યાં પ્રહાર
કોંગ્રેસના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે એક ટ્વિટ દ્વારા મોદી સરકારના આ નિર્ણયનો કડક વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ આ માટે ભારતની સરખામણી કેટલાંક દેશોના કોરોના કેસોના ગ્રાફ અને દેશમાં લોકડાઉન અને અનલોકની તારીખને હાઇલાઇટ કર્યું છે. આ સાથે રાહુલ ગાંધીએ લખ્યું છે, 'આ એ છે જે અસફળ લોકડાઉન જેવું દેખાય છે.'
ખરેખર, એવું રાહુલ ગાંધીએ એટલા માટે લખ્યું છે કે કારણ કે તેમણે જેવા દેશોના ગ્રાફ શેર કર્યાં છે જ્યાં લોકડાઉનની જાહેરાત ત્યારે કરવામાં આવી હતી જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં હતા અને અનલોકનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે તે દેશમાં કોરોના કેસ આવવાના ઓછા થઇ ગયા. પરંતુ ભારતમાં અનલોકનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે કોરોના કેસ દરરોજ વધી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ જે દેશોના ગ્રાફ શેર કર્યાં તેમાં સ્પેન, જર્મની, ઇટાલી અને બ્રિટેન જેવા કોરોના પ્રભાવિત દેશો સામેલ છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ ઘણી વખત કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધી આ પહેલા પણ ટ્વિટ દ્વારા લોકડાઉનને લઇને સવાલ ઉઠાવ્યાં હતા.