મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી છે. ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 40 હજારથી વધુ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે ત્યારે હવે પુણેમાં કર્ફ્યુનો સમય લંબાવાયો છે.
મહારાષ્ટ્રમાં વધ્યું કોરોના વાયરસનું સંક્રમણ
પુણેમાં કર્ફ્યુનો સમય લંબાવાયો
પુણેમાં લોકડાઉન સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે
પ્રાપ્ત થતાં અહેવાલો પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા પુણેમાં લોકડાઉનનો સમય લંબાવીને સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આમ પુણેમાં હવેથી 123 કલાકનું લોકડાઉન રહેશે.
7 દિવસે હોટલ-રેસ્ટોરા બંધ
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસમાં વધારો થતાં લોકડાઉનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તો પૂણેમાં આગામી 7 દિવસ સતત હોટલ-રેસ્ટોરા બંધ રહેશે.
રાજ્યના મુખ્યમંત્રી રાત્રે 8 વાગે કરશે સંબોધન
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થયો છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આજે રાજ્યના લોકોને સંબોધન કરવાના છે. રાત્રે 8 વાગે ઉદ્ધવ ઠાકરે રાજ્યની જનતાને સંબોધન કરવાના છે.
કોરોનાના રેકોર્ડબ્રેક કેસ
ભારતમાં કોરોના વાયરસના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે આજે 6 મહિનાના ટોપ પર આંકડા પહોંચી ગયા છે.દેશમાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધૂમ પ્રચાર થઈ રહ્યો છે ત્યાં દેશમાં કોરોના વાયરસ પણ નોનસ્ટૉપ કહેર મચાવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસના આંકડા દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
શુક્રવારે કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં નવા 81 હજાર 466 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ અનુસાર કોરોના વાયરસનો કહેર હવે 6 મહિનાના ટોપ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યાં મોતનો આંકડો 1 લાખ 63 હજારને પાર થઈ ગયો છે.
આઠ રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન
નોંધનીય છે કે આંકડા અનુસાર ભારતમાં આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જે આંકડાઓ સામે આવ્યા છે તેમાંથી 84.61% કેસ આ આઠ રાજ્યોમાંથી જ સામે આવી રહ્યા છે. આ આઠ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
ત્રીજા બૂસ્ટર ડોઝને મળી મંજૂરી
એક્સપર્ટ પેનલ દ્વારા ભારત બાયોટેકની કોવેક્સિનમાં ત્રીજા ડોઝને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્રીજો બૂસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહિના બાદ આપવામાં આવશે. આ બૂસ્ટર ડોઝથી ફાયદોએ થશે કોરોના વાયરસના નવા વેરિયન્ટ સામે પણ રક્ષણ મળી શકશે.